Virat Kohli ના સપોર્ટમાં આવ્યો ઇંગ્લેન્ડનો પૂર્વ સુકાની, કહ્યુંઃ ‘તમે જે કર્યું છે તેના વિશે લોકો માત્ર સપના જોવા છે’
Cricket : ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ઘણા સમયથી લયમાં નથી. છેલ્લા અઢી વર્ષમાં તે એક પણ સદી ફટકારી શક્યો નથી.
ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની ટેસ્ટ અને T20 શ્રેણી બાદ વિરાટ કોહલી (Virat Kohli) ODI શ્રેણી (ODI Series) માં પણ ફ્લોપ રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી ક્રિકેટના દરેક ફોર્મેટમાં તે ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે છેલ્લે નવેમ્બર 2019 માં કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર બાંગ્લાદેશ સામે ડે નાઇટ ટેસ્ટ મેટમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ની ખરાબ બેટિંગને લઈને ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓના નિવેદનો સામે આવ્યા છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન (Kevin Pietersen) એ તેના સપોર્ટમાં એક પોસ્ટ કરી છે. તેણે વિરાટ કોહલીના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.
ઇંગ્લેન્ડના પુર્વ સુકાની અને હાલ ક્રિકેટ કોમેન્ટેટર કેવિન પીટરસન (Kevin Pietersen) એ ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) સાથેનો એક ફોટો શેર કરીને લખ્યું છે કે, ‘આગળ વધતા રહો. તમે ક્રિકેટમાં જે પણ મેળવ્યું છે તેના લોકો સપના જોઈ શકે છે અને આ સપનામાં ક્રિકેટના ઘણા મોટા ખેલાડીઓનો પણ સમાવેશ થયા છે.’
— Kevin Pietersen🦏 (@KP24) July 16, 2022
Perspective pic.twitter.com/yrNZ9NVePf
— Virat Kohli (@imVkohli) July 16, 2022
વર્ષ 20202 થી વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ છે
વિરાટ કોહલી (Virat Kohli) વર્ષ 2019 સુધી જોરદાર ફોર્મમાં ચાલી હતો. પરંતુ ત્યાર બાદ તેનો ગ્રાફ સતત નીચે જતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020 થી અત્યાર સુધી તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફ્લોપ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તે માત્ર 27.25ની એવરેજથી 872 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તે માત્ર 6 અડધી સદી ફટકારી શક્યો હતો. વન-ડેમાં પણ વિરાટ કોહલી સાથે આવું જ બન્યું છે. વર્ષ 2020 થી અત્યાર સુધી વિરાટ કોહલીએ 18 વનડે મેચ રમી હતી. જેમાં તેણે 39ની એવરેજથી 702 રન બનાવ્યા છે. અહીં પણ તે એકપણ સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં થોડો સારો રહ્યો છે. 2020 થી અત્યાર સુધીમાં તેણે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 42.18 ની સરેરાશથી 675 રન બનાવ્યા છે. જોકે અહીં પણ તે સદી ફટકારી શક્યો નથી. મહત્વનું છે કે આવનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમ્યાન વિરાટ કોહલીને સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે તે ક્યારે પોતાના ફોર્મમાં આવશે અને ટીકાકારોને જવાબ આપશે.