Virat Kohli એ પણ હવે બાબર આઝમને આપ્યો જવાબ, પાકિસ્તાનના કેપ્ટનને માટે લખી ખાસ વાત

વિરાટ કોહલી (Virat Kohli) ના ખરાબ ફોર્મ બાદથી તેના પર ચારે બાજુથી ભારે આક્રમણ ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) સહિત કેટલાક પાકિસ્તાની ખેલાડીઓએ પૂર્વ ભારતીય કેપ્ટનને પ્રોત્સાહન આપ્યું છે.

Virat Kohli એ પણ હવે બાબર આઝમને આપ્યો જવાબ, પાકિસ્તાનના કેપ્ટનને માટે લખી ખાસ વાત
Virat Kohli હાલમાં ખરાબ ફોર્મના તબક્કામાથી પસાર થઈ રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 7:31 PM

વિરાટ કોહલી (Virat Kohli) વિશે આજકાલ દરેક પ્રકારના નિવેદનો પ્રચલિત છે. તેના ખરાબ ફોર્મના કારણે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ભારતીય ટીમ માંથી બહાર થવાની માંગ કરી છે. ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં પણ તેનું બેટ કામ કરી શક્યું ન હતું, જેના પછી તેના પર પ્રશ્નો અને શાબ્દિક હુમલાઓની તીવ્રતા વધી ગઈ હતી. આ બધાની વચ્ચે એક અણધારી સોશિયલ મીડિયા પોસ્ટ આવી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ પોસ્ટ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam Tweet For Kohli) ની હતી, જેણે કોહલીને મુશ્કેલ સમયમાં સાથ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. બાબરની આ પોસ્ટની પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ ઘણી પ્રશંસા થઈ હતી. હવે ખુદ કોહલીએ બાબરના આ ટ્વીટનો જવાબ આપતાં તેમનો આભાર માન્યો અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈના રોજ બીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી માત્ર 16 રન આવ્યા હતા. તેણે કેટલાક સારા શોટ્સથી શરૂઆત કરી હતી, પરંતુ પછી જૂની ભૂલોનું પુનરાવર્તન કરીને આઉટ થયો હતો. કોહલીની ફરી નિષ્ફળતા બાદ એ જ સવાલો ઉઠવા લાગ્યા જે છેલ્લા લગભગ એક વર્ષથી પૂછવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બાબર આઝમે બધાને ચોંકાવી દીધા અને ટ્વિટ કરીને કોહલીને પોતાનું સમર્થન જાહેર કર્યું. પાકિસ્તાની કેપ્ટને લખ્યું, “આ સમય પણ પસાર થઈ જશે. તમે મક્કમ રહો. વિરાટ કોહલી”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોહલીએ જવાબમાં શું લખ્યું?

બાબરના આ ટ્વીટને ખાસ કરીને ભારતીય ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. જો કે કોહલી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે, પરંતુ ભાગ્યે જ કોઈના ટ્વીટનો આ રીતે જવાબ આપે છે. હવે કોહલીએ પણ પાડોશી દેશના આ દિગ્ગજ ક્રિકેટરના સમર્થનના વખાણ કર્યા છે અને તેમનો આભાર માન્યો છે અને શુભકામનાઓ પણ પાઠવી છે. કોહલીએ શનિવારે 16 જુલાઈના રોજ બાબર આઝમની ટ્વિટર પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું, “આભાર. ચમકતા રહો અને આગળ વધતા રહો. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.”

ટીકાકારોને કોહલીનો જવાબ!

દેખીતી રીતે કોહલીના આ જવાબથી પણ બધા ખુશ થઈ ગયા. બંને ખેલાડીઓ અને ક્રિકેટ ટીમના ચાહકોએ તેની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. જો કે, કોહલી શનિવારે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય દેખાયો અને તેની આસપાસ ચાલી રહેલી ચર્ચાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબ આપ્યો. બાબર આઝમને સીધો જવાબ આપવાના કલાકો પહેલાં, કોહલીએ પ્રેરણાદાયી વિચાર સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જે તેની વર્તમાન પરિસ્થિતિ અને ટીકાકારોની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા તરીકે સમજી શકાય છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">