AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બોલર જસપ્રીત બુમરાહે નિવૃત્તિને લઈને આપ્યું મોટું નિવેદન, હજારો ફેન્સ સામે કહી આ વાત, જાણો

ટીમ ઈન્ડિયાએ વાનખેડે સ્ટેડિયમમાં ખૂબ જ ઉત્સાહ સાથે T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરી. વિજય પરેડ બાદ ઝડપી બોલર જસપ્રિત બુમરાહે પણ પોતાની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બોલર જસપ્રીત બુમરાહે નિવૃત્તિને લઈને આપ્યું મોટું નિવેદન, હજારો ફેન્સ સામે કહી આ વાત, જાણો
| Updated on: Jul 05, 2024 | 4:31 PM
Share

ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના સન્માન માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં વંદે માતરમ ગાઈને વિજય પરેડનું સમાપન કર્યું. આ પછી ખેલાડીઓને સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન T20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા જસપ્રીત બુમરાહને તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું, જેના જવાબમાં બુમરાહે કહ્યું કે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે.

ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. જે બાદ બુમરાહે હવે પોતાની નિવૃત્તિ અંગે ખુલીને વાત કરી છે. બુમરાહે કહ્યું કે તેનો અત્યારે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી, આ તો તેની શરૂઆત છે. તેઓએ હજુ વધુ આગળ વધવાનું છે.

જસપ્રિત બુમરાહ કહે છે કે સામાન્ય રીતે હું ક્યારેય રડતો નથી પરંતુ આ જીત અવિશ્વસનીય હતી. મારા પુત્રને જોયા પછી મારી અંદર જે લાગણીઓ આવી તે ખૂબ જ આશ્ચર્યજનક હતી. આ પછી હું મારા આંસુ પર કાબુ ન રાખી શક્યો. હું બે-ત્રણ વાર રડ્યો.

વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન

ટી-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાને જ્યારે પણ વિકેટની જરૂર પડી ત્યારે બુમરાહે ટીમને વિકેટ આપી. આ ટૂર્નામેન્ટમાં બુમરાહે 4.17ની ઈકોનોમી સાથે 15 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">