AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જય શાહે આપ્યા 100 ટકા સારા સમાચાર, આવતા મહિને ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે જસપ્રીત બુમરાહ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા લગભગ એક વર્ષથી ક્રિકેટ એક્શનથી દૂર છે. પીઠની ઈજા સામે ઝઝૂમી રહેલા બુમરાહનું NCAમાં છે અને હવે તે ફિટ થઈ ગયો છે. BCCIની બેઠક બાદ જય શાહે બુમરાહની ફિટનેસ પર આ અપડેટ આપી હતી.

જય શાહે આપ્યા 100 ટકા સારા સમાચાર, આવતા મહિને ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે જસપ્રીત બુમરાહ
Jasprit Bumrah
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 9:43 PM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ આ શ્રેણી સાથે એશિયા કપ અને વર્લ્ડ કપ (ODI World Cup 2023)જેવી મોટી ટૂર્નામેન્ટની તૈયારીઓ પણ શરૂ થઈ રહી છે. લાંબા સમયથી ખિતાબ જીતવાની રાહ જોઈ રહેલી ભારતીય ટીમ આ મોટી ટુર્નામેન્ટમાં પુરી તાકાત સાથે ઉતરવા માંગે છે અને તેને આ મોરચે સતત સારા સમાચાર મળી રહ્યા છે.

ભારત માટે સૌથી રાહત આપનારી અપડેટ BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) દ્વારા આપવામાં આવી છે. શાહે જાહેરાત કરી છે કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સંપૂર્ણ રીતે ફિટ છે.

બુમરાહ એક વર્ષથી ક્રિકેટથી દૂર

જસપ્રીત બુમરાહ છેલ્લા લગભગ એક વર્ષથી ક્રિકેટ એક્શનથી દૂર છે. પીઠની ઈજાને કારણે તે સપ્ટેમ્બર 2022 થી કોઈપણ સ્તરે ક્રિકેટ રમી શક્યો નથી. તેની પીઠમાં વારંવાર થતા સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તેણે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં સર્જરી કરાવવી પડી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો.

બુમરાહ 100 ટકા  ફિટ છે

થોડા દિવસો પહેલા BCCIઈએ બુમરાહ પર સકારાત્મક અપડેટ આપતા કહ્યું હતું કે તે NCAમાં સંપૂર્ણ ક્ષમતાથી બોલિંગ કરી રહ્યો છે અને કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે. હવે બોર્ડના સેક્રેટરી જય શાહે તેની ફિટનેસ પર મહોર મારી દીધી છે. ગુરુવારે, 27 જુલાઈએ, નવી દિલ્હીમાં વર્લ્ડ કપની તૈયારીઓ અંગેની બેઠક બાદ, જય શાહે બુમરાહની સ્થિતિ વિશે માહિતી આપી. BCCI સેક્રેટરીએ કહ્યું કે જસપ્રીત બુમરાહ 100 ટકા ફિટ છે.

આ પણ વાંચો : Breaking News: IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ODIમાં ભારતને જીતવા 115 રનનો ટાર્ગેટ, કુલદીપની 4 વિકેટ

આવતા મહિને કમબેક કરશે

આટલું જ નહીં, જય શાહે વધુ એક ખુશખબર આપી હતી. તેમણે કહ્યું કે બુમરાહ આવતા મહિને ટીમમાં પરત ફરે  તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયાને ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસે જવાનું છે, જ્યાં 3 T20 મેચોની શ્રેણી રમાશે. શાહે કહ્યું કે બુમરાહ આ શ્રેણીમાંથી વાપસી કરી શકે છે. આ શ્રેણી પછી તરત જ એશિયા કપ છે. આવી સ્થિતિમાં, તે ટૂર્નામેન્ટ પહેલા, બુમરાહ આ પ્રવાસ પર વાપસી કરીને તેની બોલિંગમાં લય પાછી મેળવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">