IPL 2024 : પ્લેઓફમાં જવા માટે આટલી મેચો જીતવી જરૂરી, આ ટીમોની મુસીબત વધી

આઈપીએલમાં છેલ્લા 2 વર્ષથી 10 ટીમો ભાગ લઈ રહી છે. જો 2022 અને 2023નું પોઈન્ટ ટેબલ જોઈએ તો પ્લેઓફમાં પહોંચનારી છેલ્લી ટીમની પાસે 16 અંક હતા. આ વખતે પણ આવું જ કાંઈ થતું જોવા મળી રહ્યું છે.

IPL 2024 : પ્લેઓફમાં જવા માટે આટલી મેચો જીતવી જરૂરી, આ ટીમોની મુસીબત વધી
Follow Us:
| Updated on: Apr 17, 2024 | 4:03 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં તમામ ટીમે પોતાની 6 મેચ રમી ચુકી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ટીમ 7 મેચ રમી ચૂકી છે. આ વચ્ચે હવે એવી ચર્ચાઓ શરુ થઈ ગઈ કે, આ વર્ષે પ્લેઓફમાં કઈ ટીમ પહોંચશે અને કઈ ટીમ પાછળ રહી જશે. આ વચ્ચે સંજુ સેમસનની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સએ પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે, પરંતુ અન્ય ટીમોની મુશ્કિલી વધતી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે

મંગળવારના રોજ જ્યારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ હતી. મેચને લઈ પહેલા એવું લાગતું હતુ કે, આજે કાંઈ ઉલેટફેર થતો જોવા મળશે. આ મેચ ખુબ રસપ્રદ પણ રહી હતી. પરંતુ અંતે રાજસ્થાન રોયલ્સે મેચ પોતાને નામ કરી લીધી છે. આ વચ્ચે રાજસ્થાનની ટીમ પહેલા થી જ નંબર વનની ખુરશી પર કબજો કરી બેઠી છે અને ટીમ પાસે હવે કુલ 12 અંક થઈ ગયા છે.

પ્લેઓફમાં જવા માટે ઓછામાં ઓછા 16 અંક જરુરી છે

આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આવું છેલ્લા 3 વર્ષથી જોવા મળી રહ્યું છે. જો વર્ષ 2022 અને 2023નું પોઈન્ટ ટેબલ જોઈએ તો પ્લેઓફમાં પહોંચનારી છેલ્લી ટીમની પાસે 16 અંક હતા. આ વખતે પણ આવું જ કાંઈ થતું જોવા મળી રહ્યું છે. વર્ષ 2022માં આરસીબી 16 અંક સાથે પ્લેઓફ સુધી પહોંચી હતી. વર્ષ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ 16 અંક સાથે પ્લેઓફમાં પહોંચી હતી. જો આપણે આ હિસાબને જોઈએ તો રાજસ્થાન રોયલ્સે પોતાની બાકી રહેલી 7 મેચમાં માત્ર 2 મેચ જીતવાની જરુર છે. પરંતુ ટીમ સંપુર્ણ પ્રયત્ન કરશે કે, તે ટોપ-2માં ફિનિશ કરે. જેના કારણે તે સીધી ક્વોલિફાયર થવાની તક મળે અને આનો ફાયદો થશે, કે ટીમને ફાઈનલમાં જવાનો ચાન્સ મળશે.

આ ટીમો છે મજબુત દાવેદાર

રાજસ્થાન રોયલ્સના 12 અંક સિવાય કેકેઆર, સીએસકે અને હૈદરાબાદના પણ 8 અંક છે, એટલે કે, ટીમોને બાકી રહેલી મેચમાંથી ઓછામાં ઓછી 8 મેચ જીતવી જરુરી છે. તેના માટે આ સૌથી મુશ્કિલ કામ નથી પરંતુ જે ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં બોટમમાં છે, તેના માટે મુશ્કિલ થઈ શકે છે. સૌથી વધુ આરસીબી માટે કારણ કે, તેમણે સાતમાંથી માત્ર એક જ મેચ જીતી છે. જો ટીમ વધુ એક મેચ હારી જાય છે તો તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. હાલમાં ન તો કોઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે કે પછી ન તો કોઈ ટીમ બહાર થઈ છે.

આ પણ વાંચો : IPL 2024 : શાહરુખ ખાનને રડતા જોઈ ચાહકો થયા ઈમોશનલ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">