AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: હાર્દિક પંડ્યાનું કાઉન્ટડાઉન શરૂ, શું મુંબઈ ઈન્ડિયન્સની ફરિયાદ મળ્યા બાદ કેપ્ટન્સી જશે?

હાર્દિક પંડ્યાનો મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બન્યા બાદ સમય બિલકુલ સારો સાબિત થયો નથી. મુંબઈ ઈન્ડિયન્સના ઘણા સિનિયર ખેલાડીઓએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની સ્ટાઈલ પર સવાલો ઉઠાવ્યા છે અને તેને ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ ટીમના ડ્રેસિંગ રૂમમાં પહેલા જેવો ઉત્સાહ નથી અને આ માટે પણ હાર્દિકની પદ્ધતિઓને નિશાન બનાવવામાં આવી છે.

IPL 2024: હાર્દિક પંડ્યાનું કાઉન્ટડાઉન શરૂ, શું મુંબઈ ઈન્ડિયન્સની ફરિયાદ મળ્યા બાદ કેપ્ટન્સી જશે?
Hardik Pandya
| Updated on: May 09, 2024 | 5:54 PM
Share

હાર્દિક પંડ્યાએ ભાગ્યે જ વિચાર્યું હશે કે મુંબઈમાં વાપસી આટલી ખરાબ સાબિત થશે. ગુજરાતને સતત 2 સિઝન સુધી ફાઈનલમાં લઈ ગયા બાદ હાર્દિક પંડ્યા મુંબઈમાં પરત ફર્યો. જે બાદ રોહિત શર્માની જગ્યાએ ટીમના કેપ્ટન તરીકે હાર્દિકની નિમણૂક કરવામાં આવી, ત્યારથી તે સતત ફેન્સના નિશાના પર છે. હવે તેની કપ્તાનીમાં મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં હાર્દિકની કેપ્ટનશીપ જોખમમાં છે, કારણ કે સિનિયર ખેલાડીઓએ તેની સામે સવાલ ઉઠાવ્યા છે.

સિનિયર ખેલાડીઓએ ફરિયાદ કરી

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સના ઘણા વરિષ્ઠ ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ચલાવવાની રીત પર સવાલો ઉઠાવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક મેચ બાદ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ સહિત ટીમના તમામ ખેલાડીઓ કોચિંગ સ્ટાફને મળ્યા, ત્યારબાદ કેટલાક સિનિયર ખેલાડીઓએ અલગ-અલગ વાત કરી અને ટીમના ખરાબ પ્રદર્શનના કારણો સમજાવ્યા.

હાર્દિકના ઘણા નિર્ણયો પર સવાલો ઉઠ્યા

ટૂર્નામેન્ટની શરૂઆતની મેચોથી જ હાર્દિક પંડ્યાના ઘણા નિર્ણયો પર સતત સવાલો ઉઠ્યા હતા. ક્યારેક જસપ્રીત બુમરાહને બોલિંગ માટે મોડો લાવવો, ક્યારેક બેટિંગ ક્રમમાં યોગ્ય સમયે યોગ્ય બેટ્સમેનને ન મોકલવો, આવું ઘણીવાર જોવા મળતું હતું. આ ઉપરાંત મેચમાં હાર બાદ હાર્દિકનું નામ લીધા વગર યુવા બેટ્સમેન તિલક વર્માને જવાબદાર ઠેરવીને હાર્દિક પર વધુ સવાલો ઉભા કર્યા હતા.

શું હાર્દિક પાસેથી કેપ્ટન્સી છીનવાઈ જશે?

એવું લાગી રહ્યું છે કે આ કારણે હાર્દિકની કેપ્ટન્સી પણ જોખમમાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિઝનની સમાપ્તિ પછી દર વર્ષની જેમ આ વખતે પણ ટીમના પ્રદર્શનનું પોસ્ટમોર્ટમ થશે અને જો જરૂર પડશે તો ફ્રેન્ચાઈઝી ટીમના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. હવે શું મોટો નિર્ણય લેવામાં આવશે, તે આગામી થોડા મહિનામાં જ સ્પષ્ટ થશે. આ સિઝન પછી મેગા ઓક્શન થવાની છે, તો શું ટીમ હાર્દિકની જગ્યાએ રોહિતને ફરીથી કેપ્ટન બનાવશે કે પછી સૂર્યા, બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓમાંથી કોઈને પસંદ કરશે કે પછી હાર્દિકને બીજી તક આપવામાં આવશે?

આ પણ વાંચો : IPL 2024: રોહિત-બુમરાહે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ! હાર બાદ MIમાં હંગામો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">