IPL 2024: બેંગલુરુ સામેની મેચ પહેલા દિલ્હીને સૌથી મોટો ફટકો, કેપ્ટન રિષભ પંત પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ

દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે તેમની આગામી બંને મેચો જીતવી જરૂરી છે અને ટીમની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે તેમના ઘર એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે. પરંતુ આ અતિ મહત્વપૂર્ણ મેચ પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે. કારણકે BCCIએ કેપ્ટન રિષભ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે અને હવે તે આગામી મેચમાં રમી શકશે નહીં.

IPL 2024: બેંગલુરુ સામેની મેચ પહેલા દિલ્હીને સૌથી મોટો ફટકો, કેપ્ટન રિષભ પંત પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ
Rishabh Pant
Follow Us:
| Updated on: May 11, 2024 | 5:24 PM

દિલ્હી કેપિટલ્સે IPL 2024માં જોરદાર પુનરાગમન કર્યું છે અને ટીમ પ્લેઓફની રેસમાં હજી પણ સામેલ છે. ટીમને હવે તેની છેલ્લી 2 મેચ રમવાની છે અને આ બે મેચમાં જીત સાથે તે પ્લેઓફમાં જગ્યા મેળવી શકે છે. ટીમની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છે, પરંતુ આ મેચ પહેલા જ દિલ્હીને જોરદાર ફટકો પડ્યો છે. BCCIએ ટીમના કેપ્ટન રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ કારણે પંત હવે બેંગલુરુ સામેની મેચ રમી શકશે નહીં. પંત ઉપરાંત તેના સાથી ખેલાડીઓ પર પણ BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

રિષભ પંતને ભારે દંડ ફટકારવામાં આવ્યો

12 મે, રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ અને દિલ્હી વચ્ચે મેચ રમાવાની છે, પરંતુ તેના એક દિવસ પહેલા દિલ્હીને આ ખરાબ સમાચાર મળ્યા. IPL તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવી છે કે, ટીમના ધીમા ઓવર રેટના કારણે દિલ્હીના કેપ્ટન પંતને આ સજા મળી છે. દિલ્હીની ટીમે આ સિઝનમાં ત્રીજી વખત આ ભૂલ કરી છે. નિયમો અનુસાર, પહેલી અને બીજી વખત આવી ભૂલ કરવા માટે, કેપ્ટન અને ટીમને માત્ર દંડ ભરવો પડે છે, પરંતુ ત્રીજી વખત ભૂલનું પુનરાવર્તન કર્યા બાદ કેપ્ટન પર સીધો પ્રતિબંધ મૂકવામાં આવે છે.

અપીલનો પણ કોઈ ફાયદો ન થયો

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે મેચ રેફરીએ પંતને આ સજા કરી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, ત્યારબાદ BCCIએ તેના પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી. અહીં પણ દિલ્હી અને પંતને રાહત ન મળી કારણ કે રેફરીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને તેને યથાવત રાખ્યો. આ રીતે, એક મેચના સસ્પેન્શન સિવાય, પંત પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. માત્ર પંત જ નહીં, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરોને પણ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પંતનું જોરદાર પ્રદર્શન

રિષભ પંતે આ સિઝનમાં અત્યાર સુધી 12 ઈનિંગ્સમાં 41ની એવરેજ અને 156ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા છે, જે હાલમાં દિલ્હી માટે સૌથી વધુ છે. અકસ્માતના લગભગ દોઢ વર્ષ બાદ ક્રિકેટમાં વાપસી કરનાર પંતે આ સિઝનમાં 3 અડધી સદી ફટકારી છે અને તે સતત રન બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીને પંતની ઘણી ખોટ થઈ રહી છે. તે માત્ર દમદાર બેટિંગ જ નથી કરી રહ્યો, પરંતુ તેની વિકેટ કીપિંગ પણ શાનદાર રહી છે અને તે કેપ્ટનશિપમાં પણ પહેલા કરતા વધુ સારો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : IPL 2024: ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું, પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">