AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: 6 મેચમાં 4 વિકેટ, ખરાબ ફોર્મ, છતાં મોહમ્મદ સિરાજ રમશે T20 વર્લ્ડ કપ?

મોહમ્મદ સિરાજ આ IPLમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. સિરાજે આ સિઝનમાં 6 મેચ રમી છે, જેમાં તે 57ની ખૂબ જ નબળી એવરેજથી માત્ર 4 વિકેટ જ લઈ શક્યો છે. IPL પછી તરત જ T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ટીમ સિલેક્શન માટેની બેઠક પણ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સિરાજનું ખરાબ ફોર્મ T20 સિલેક્શનના રસ્તામાં આવી શકે છે.

IPL 2024: 6 મેચમાં 4 વિકેટ, ખરાબ ફોર્મ, છતાં મોહમ્મદ સિરાજ રમશે T20 વર્લ્ડ કપ?
Mohammad Siraj
| Updated on: Apr 16, 2024 | 9:12 PM
Share

ભારતના મુખ્ય બોલરોમાંથી એક મોહમ્મદ સિરાજ આ દિવસોમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. IPL 2024માં તેનું પ્રદર્શન ખૂબ જ સામાન્ય રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પણ તેને છેલ્લી મેચમાં આરામ આપ્યો હતો, જો કે તે આ ટીમનો મુખ્ય બોલર છે. T20 વર્લ્ડ કપ નજીક છે, તેથી IPLના પ્રદર્શનને વર્લ્ડ કપનો ગેટ પાસ માનવામાં આવી રહ્યો છે. ટીમની પસંદગીને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, હવે સિરાજનું ખરાબ ફોર્મ તેની પસંદગીમાં અવરોધ બની શકે છે.

સિરાજના ફોર્મે વધારી ચિંતા

મોહમ્મદ સિરાજે આ IPLમાં અત્યાર સુધી 6 મેચ રમી છે. આ 6 મેચોમાં તે 57ની ખૂબ જ નબળી એવરેજથી માત્ર 4 વિકેટ જ લઈ શક્યો છે. આ દરમિયાન તેને ખૂબ માર મારવામાં આવ્યો, જેના કારણે ઈકોનોમી પણ 10 થી વધુ છે. જો સિરાજ આ રીતે આઉટ ઓફ ફોર્મ રહેશે તો શું તેની વર્લ્ડ કપ પસંદગીને અસર થશે? શું કેપ્ટન રોહિત શર્મા બીજા બોલરની શોધ કરશે? આનો જવાબ સમય આવશે ત્યારે જ ખબર પડશે.

સેહવાગના મતે સિરાજનું સ્થાન નિશ્ચિત

હાલમાં ભારતના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત છે. કારણ કે સિરાજ મોટો ખેલાડી છે, તેને એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમવાનો અનુભવ છે. ભારતીય ટીમમાં તે બુમરાહ જેવા વર્લ્ડ ક્લાસ બોલર સાથે બોલિંગ કરે છે, જેના કારણે તેના પરથી દબાણ દૂર થાય છે અને તે વધુ સારું પ્રદર્શન કરી શકે છે. બીજી તરફ ભારતીય ટીમ પાસે તેના કરતા સારો વિકલ્પ નથી.

સિરાજનો વિકલ્પ ઉપલબ્ધ નથી?

જો કે મોહમ્મદ સિરાજ અત્યારે પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ વીરેન્દ્ર સેહવાગના શબ્દોમાં સત્ય છે. વર્લ્ડકપની રેસમાં અન્ય બોલરો પર નજર કરીએ તો એવું લાગતું નથી કે સિરાજ બહાર થશે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાનો છે, આવી સ્થિતિમાં ભારતીય ટીમ 3થી વધુ પેસર નહીં લે. કારણ કે ત્યાં સ્પિનરોને મદદ મળશે અને ચોથા વિકલ્પ તરીકે હાર્દિક પંડ્યા ઉપલબ્ધ છે.

સિરાજ, શમી, મુકેશ કુમાર વચ્ચે સ્પર્ધા

ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન નિશ્ચિત છે અને અર્શદીપ સિંહના પ્રદર્શનને જોતા તેનું નામ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. હવે ટીમમાં માત્ર એક જ ઝડપી બોલર બચ્યો છે, જેના માટે ત્રણ બોલર (મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને મુકેશ કુમાર) રેસમાં આગળ છે. જો આપણે આ ત્રણ વિકલ્પો પર નજર કરીએ તો, શમી હજી પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, તેથી તેના રમવાની શક્યતા ઓછી છે.

આઉટ ઓફ ફોર્મ હોવા છતાં સિરાજના ચાન્સ વધુ

જ્યારે મુકેશ કુમાર અત્યાર સુધી કોઈ મજબૂત પ્રદર્શન આપવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે IPL 2024માં 3 મેચ રમી છે, જેમાં તેણે 10ની ઈકોનોમી સાથે 5 વિકેટ લીધી છે. આ સિવાય તેની પાસે અનુભવનો પણ અભાવ છે. તેથી આઉટ ઓફ ફોર્મ હોવા છતાં સિરાજના આઉટ થવાની શક્યતાઓ ઓછી છે.

આ પણ વાંચો : IPL 2024 KKR vs RR: શ્રેયસ અય્યરે ટોસ પહેલા કરી કિસ, જાણો પછી શું થયું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">