AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો આ સ્ટાર ખેલાડી પહેલી મેચમાં નહીં રમી શકે..!

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની લીગમાં પહેલી મેચ 27 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ ટીમ સામે છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો આ સ્ટાર ખેલાડી પહેલી મેચમાં નહીં રમી શકે..!
Mumbai Indians (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 11:28 PM
Share

IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તેની પ્રથમ મેચ 27 માર્ચે રમશે. આ મેચ દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચમાં મુંબઈની ટીમ તેના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વિના જ ઉતરી શકે છે. આ એટલા માટે છે કારણ કે ત્યાં સુધીમાં સૂર્યકુમાર ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. સૂર્યકુમાર યાદવને હેરલાઇન ફ્રેક્ચર છે અને તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાં છે. તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. આ અહેવાલ બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને આવ્યો છે.

IPL 2022 Mumbai Indians' Suryakumar Yadav will not be able to play in the first match

Surya Kumar Yadav (PC: IPL)

મળી રહેલ રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, ‘સૂર્યા કુમાર યાદવ હાલમાં National Cricket Academy (NCA) માં રિહેબિલિટેશન કરી રહ્યો છે. તેની રિકવરી સારી રીતે ચાલી રહી છે. પરંતુ તેમ છતાં તે IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ ચૂકી જાય તેવી સંભાવના છે. એવી શક્યતા છે કે બોર્ડની મેડિકલ ટીમ તેને આ મેચ માટે કોઈ જોખમ ન લેવાની સલાહ આપી શકે છે.

રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશન (Ishan Kishan) ની સાથે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્વનો બેટ્સમેન છે. પ્રથમ મેચ માટે તેની અનુપલબ્ધતા મુંબઈની ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જો કે, તેમ છતાં મુંબઈ માત્ર એક મેચ માટે સૂર્યકુમાર પર જોખમ નહીં લે. શક્ય છે કે તે પ્રથમ મેચના 5 દિવસ બાદ મુંબઈની બીજી મેચ માટે મેદાન પર ઉતરશે.

બીસીસીઆઈના સૂત્રનું એમ પણ કહેવું છે કે મુંબઈ ઈન્ડિયન્સની બીજી આઈપીએલ મેચ સુધી સૂર્યકુમાર યાદવ 100 ટકા ફિટ થઈ જશે અને મેદાન પર ઉતરવા માટે સંપુર્ણ ફિટ થઇ જશે.

આ પણ વાંચો : IPL 2022 દરમિયાન બાયો બબલ તોડવા પર પ્રતિબંધ, ટીમના પોઈન્ટ કપાશે, 1 કરોડનો દંડ થશે !

આ પણ વાંચો : IPL 2022 નું ટાઇટલ જીતવા માટે દિલ્હી કેપિટલ્સે દિગ્ગજ ખેલાડીને પોતાની ટીમ સાથે જોડ્યો, ધોની સાથે રમી ચુક્યો છે આ ખેલાડી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">