વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચને લઈને ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર
વિરાટ કોહલી અત્યાર સુધી 70 સદી ફટકારી ચુક્યો છે. હાલ શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે.
શ્રીલંકા (Sri Lanka Cricket) સીરિઝ સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર પહેલી ટેસ્ટ મેચ બંધ દરવાજામાં વચ્ચે રમાશે. એટલે કે આ પહેલી ટેસ્ટ મેચ જોવા માટે એક પણ દર્શકો આવશે નહીં. 4 માર્ચથી ભારત (Team India) અને શ્રીલંકા વચ્ચે શરૂ થઇ રહેલ પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં રમાશે. આ ખાસ ટેસ્ટ એટલા માટે છે કારણ કે ભારતના પૂર્વ સુકાની અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) ની આ 100મી ટેસ્ટ મેચ હશે.
મહત્વનું છે કે દર્શકો અને ખાસ કરીને વિરાટ કોહલીના ચાહકો આ મેચને લઇને ખાસ ઉત્સાહીત હતા અને આ મેચ સ્ટેડિયમમાં જઇને જોવા માંગતા હતા. જોકે કોવિડ-19ના કારણે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશવા દેવામાં નહીં આવે. ભારત હાલ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમી રહી છે. ત્યારબાદ બે મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં રમશે અને બીજી ટેસ્ટ મેચ બેંગ્લોરમાં રમાશે. ભારતે પહેલી ટી20 મેચ 62 રને જીત લીધી હતી. જ્યારે બીજી અને ત્રીજી ટી20 મેચ ક્રમશ: 26 અને 27 ફેબ્રુઆરીના રોજ રમાશે.
Punjab Cricket Association will present a special memento for Virat Kohli on his 100th Test match. (Source – Sports Tak)
— Johns. (@CricCrazyJohns) February 26, 2022
ટી20 સીરિઝ બાદ ટેસ્ટ સીરિઝ રમાશે. પણ પહેલી ટેસ્ટ મેચ માટે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી નહીં મળે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના સીઈઓ દીપક શર્માએ જણાવ્યું કે, “ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ દર્શકો વગર રમાશે.” વિરાટ કોહલીએ ગત મહિને સાઉથ આફ્રિકામાં ટીમની 1-2 થી હાર બાદ ભારત તરફથી ટેસ્ટ સુકાની તરીકે પદ છોડી દીધું હતું.
હાલમાં જ રોહિત શર્માને ભારતીય ટીમનો ટેસ્ટ સુકાની બનાવવામાં આવ્યો છે
વિરાટ કોહલી બાદ તેના સાથી ખેલાડી રોહિત શર્માને ટીમનો સુકાની જાહેર કર્યો હતો. આ વચ્ચે વિરાટ કોહલી સુકાની પદ છોડ્યા બાદ ભારત માટે બેટિંગમાં એક મહત્વનો ખેલાડી છે. કારણ કે તેનો તમામ ફોર્મેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. જ્યા સુધી ટેસ્ટ ક્રિકેટમાં તેના આંકડાનો પ્રશ્ન છે વિરાટ કોહલીએ 99 ટેસ્ટમાં 50.39ની એવરેજથી 7962 રન બનાવ્યા છે અને જેમાં તેની 27 સદી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારી ચુક્યો છે વિરાટ કોહલી હાલ આ સમયે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે અંતિમ સદી નવેમ્બર 2019માં ફટકારી હતી. આ કારણથી ચાહકો કોહલીની 100મી ટેસ્ટમાં સદી જોવા માંગે છે.
આ પણ વાંચો : Ranji Trophy 2022: બરોડાના ક્રિકેટરે પોતાની દીકરીને ગુમાવી દેવાના થોડા દિવસ બાદ ફટકારી સદી
આ પણ વાંચો : IND vs SL: ભારતનો વિજય રથ આજે જારી રહેશે? ધર્મશાળાના મેદાન પર ટીમ ઇન્ડિયા માટે નિરાશાજનક છે આંકડા