AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાની PM મોદી સાથેની મુલાકાત બાદ ઈન્દિરા ગાંધીની 1983ના વર્લ્ડ કપની તસવીર કેમ થઈ વાયરલ?

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ભારત પહોંચ્યા બાદ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ બેઠક બાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 1983ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના ખેલાડીઓ સાથે જોવા મળી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની PM મોદી સાથેની મુલાકાત બાદ ઈન્દિરા ગાંધીની 1983ના વર્લ્ડ કપની તસવીર કેમ થઈ વાયરલ?
Team India with PM Modi & Indira Gandhi
| Updated on: Jul 04, 2024 | 5:00 PM
Share

આખું ભારત અત્યારે ટીમ ઈન્ડિયા સાથે T20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી કરી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝમાં 2024 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ભારતીય ટીમ આજે સવારે દિલ્હી પહોંચી હતી. દિલ્હીમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયા દિલ્હીની મૌર્ય હોટલ પહોંચી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની ખાસ મુલાકાત

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વડાપ્રધાન મોદીના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત આવાસ પર લગભગ બે કલાક વિતાવ્યા હતા. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ટીમ ફોટો દરમિયાન વડાપ્રધાન મોદી કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે ઉભા જોવા મળ્યા હતા. પરંતુ PM મોદીએ T20 વર્લ્ડ કપની ટ્રોફીને હાથ ન લગાવ્યો.

PM મોદીએ ટ્રોફીને હાથ ન લગાવ્યો

PM મોદીએ આવું કેમ કર્યું તેની પાછળ એક ખાસ કારણ છે. વાસ્તવમાં, એવી માન્યતા છે કે વિશ્વ કપની ટ્રોફી ફક્ત ચેમ્પિયન પાસે જ હોય ​​છે. જો કે દેશના વડાપ્રધાનને પણ વર્લ્ડ કપની ટ્રોફીને સ્પર્શ કરવાનો અધિકાર છે, પરંતુ PM મોદીએ ખેલાડીઓનું સન્માન કરવા માટે ટ્રોફીને સ્પર્શ કર્યો ન હતો. આ પગલા માટે PM મોદીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ 1983ના વર્લ્ડ કપ બાદ લેવાયેલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઈન્દિરા ગાંધીની 1983ના વર્લ્ડ કપની તસવીર વાયરલ થઈ

ટીમ ઈન્ડિયાએ તેનો પહેલો ICC વર્લ્ડ કપ 1983માં જીત્યો હતો. ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારતે એવી સિદ્ધિ હાંસલ કરી હતી જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. વાસ્તવમાં, તે સમયે વેસ્ટ ઈન્ડિઝ સૌથી મજબૂત ટીમ હતી અને ભારતે તેને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ભારતમાં ભારતીય ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઈન્દિરા ગાંધીએ વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને તેઓ વર્લ્ડ કપની ટ્રોફી લઈને ઉભા હતા.

2007 અને 2011માં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

વર્ષ 2007માં MS ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને તેમને જીત માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. જે બાદ જ્યારે ટીમ ઈન્ડિયાએ 2011નો વર્લ્ડ કપ ઘરઆંગણે જીત્યો હતો ત્યારે દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા અને તેઓ ટીમના ખેલાડીઓને પણ મળ્યા હતા અને ફોટા પણ પડાવ્યા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ભારત પરત ફરતા જ થઈ જશે વ્યસ્ત, સૌપ્રથમ કરશે આ 3 કામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">