IND vs PAK Match Preview: વાદળ વરસશે કે ભારતીય બેટ્સમેન? આવતીકાલે કોલંબોમાં ખુલશે રહસ્ય

India vs Pakistan Asia Cup 2023: ગ્રુપ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને ભારતની ટીમે બેટિંગ લીધા બાદ તરત જ વરસાદને કારણે આખી મેચ રદ કરવી પડી હતી. હવે આ જ સ્થિતિ કોલંબોમાં પણ છે જ્યાં બંને વચ્ચે સુપર-4 રાઉન્ડની મેચ રમાવાની છે.

IND vs PAK Match Preview: વાદળ વરસશે કે ભારતીય બેટ્સમેન? આવતીકાલે કોલંબોમાં ખુલશે રહસ્ય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 7:20 PM

IND vs PAK મેચમાં જેટલી નજર લોકોની મેદાન પર હશે તેટલી જ નજર આકાશ પર પણ હશે. કરોડો ક્રિકેટ ચાહકો માટે 10 સપ્ટેમ્બર, રવિવારની સવાર, બપોર અને સાંજ કઇંક અલગ રીતે પસાર થશે કારણ કે એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. તે મેચ, જેનો પ્રથમ ઈનિંગમાં હવામાનને કારણે ખલેલ પડી હતી અને બીજી ઈનિંગમાં પણ આપણે હવામાન  પર જ આધાર રાખવો પડશે. તેમ છતાં, મેચ શરૂ થશે અને 2 સપ્ટેમ્બરની સ્થિતિ જો ફરી જોવા મળશે તેવી વાતને લઈ આ વખતે ભારતીય ચાહકો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સુપર-4 રાઉન્ડમાં ભારતીય ટીમ તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટક્કર થશે. આ મેચ પહેલાથી જ વિવાદનું સ્વરૂપ લઈ ચૂકી છે કારણ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મેચ માટે માત્ર રિઝર્વ ડેની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. એટલે કે, જો સુપર-4ની બાકીની તમામ મેચો ધોવાઈ જાય તો બીજી કોઈ તક નહીં મળે, પરંતુ જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 10મીએ પૂર્ણ નહીં થાય તો તે બીજા દિવસે એટલે કે 11મી સપ્ટેમ્બરે રમાશે.

હવામાનનો ખતરો છે યથાવત 

આ એશિયા કપ પહેલાથી જ ઘણા વિવાદોમાં ઘેરાયેલો છે અને એક નવા વિવાદે આ યાદીને લંબાવી દીધી છે. હવામાનની આગાહી દર્શાવે છે કે 10 સપ્ટેમ્બરે દિવસભર વરસાદની સંભાવના 90 ટકા સુધી છે. આવી સ્થિતિમાં દેખીતી રીતે, દરેક વ્યક્તિ મેચની શરૂઆત પહેલા અને દરમિયાન તેમના ફોન પર હવામાન અહેવાલની તપાસ કરશે. આમ છતાં, રિઝર્વ ડેની હાજરીથી મેચ યોજાવાની કેટલીક આશાઓ વધશે.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

પ્રથમ ભૂલમાંથી શીખવાની તક

જ્યાં સુધી ક્રિકેટ એક્શનની વાત છે તો ફરી એકવાર આ મેચ ભારતની બેટિંગ અને પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ વચ્ચે થશે. બંને ટીમો અને તેમના ચાહકોને તે દ્રશ્ય યાદ છે જે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં જોવા મળ્યું હતું. ભારતીય બેટ્સમેનો, ખાસ કરીને ટોપ ઓર્ડર માટે પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે તે મેચની સ્થિતિનું પુનરાવર્તન ન થાય. આ જ કારણ છે કે કોલંબોમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ લેફ્ટ આર્મ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ સામે ઘણી પ્રેક્ટિસ કરી હતી.

પાકિસ્તાની પેસ એટેક આ ટૂર્નામેન્ટમાં જબરદસ્ત ફોર્મમાં છે અને તેમને રોકવું આસાન નહીં હોય. આવી સ્થિતિમાં, તેમને ચોક્કસ નુકસાન થશે પરંતુ ટીમ ઇન્ડિયાએ આ નુકસાનને ઓછામાં ઓછા સુધી મર્યાદિત કરવું પડશે, કેન્ડીની જેમ નહીં, જ્યાં માત્ર 66 રનમાં 4 વિકેટ પડી હતી.

ઇશાન કે રાહુલ, કોને મળે છે તક?

કેન્ડીમાં બેટિંગની ઘટનામાંથી એક સારા સમાચાર ઈશાન કિશનના રૂપમાં બહાર આવ્યા, જેમણે વિકેટકીપર-બેટ્સમેન તરીકે 82 રનની શાનદાર ઈનિંગ રમી અને ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે સારી એવી ચિંતા મૂકી. ચિંતા એ છે કે ફિટ થયા બાદ ટીમમાં સામેલ થયેલા કેએલ રાહુલને પાકિસ્તાન સામે રમવો કે પછી સતત 4 અડધી સદી ફટકારનાર કિશનને જાળવી રાખવો. તેનું ફોર્મ જોઈને ઈશાનને તક મળશે તે નિશ્ચિત જણાય છે.

આ પણ વાંચો : WWE Video: ધ ગ્રેટ ખલીએ જોન સીનાને શીખવાડી હિન્દી, પણ અંતે એક સવાલથી ખલીની બોલતી બંધ!

બોલિંગમાં મુશ્કેલ નિર્ણયની ક્ષણ

આ સિવાય બોલિંગને લઈને પણ મોટો સવાલ છે. કોલંબોની પીચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા શાર્દુલ ઠાકુરની જગ્યાએ ત્રીજા સ્પિનર ​​તરીકે ઓલરાઉન્ડર અક્ષર પટેલને મેદાનમાં ઉતારી શકે છે. મોટો નિર્ણય મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજમાંથી કોઈ એકની પસંદગી અંગે થશે અને અહીં ટીમ મેનેજમેન્ટની કસોટી થશે. શમી લગભગ 3 મહિના પછી તેની પ્રથમ મેચ રમ્યો અને આવી સ્થિતિમાં તેને વર્લ્ડ કપ પહેલા ગતિ મેળવવા માટે જસપ્રીત બુમરાહ સાથે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">