AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાસ્તુ શાસ્ત્ર: આમલીનો એક નાનકડો ટોટકો ખોલી દેશે કિસ્મતના બંધ તાળા ! અજમાવો આ ખાસ ઉપાય

શું તમારા ઘરમાં ભારેપણું લાગે છે અથવા બનતા કામ અટકી જાય છે? વાસ્તુ મુજબ આમલી સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાયો તમારી પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરી શકે છે. જાણો વિગતે.

વાસ્તુ શાસ્ત્ર: આમલીનો એક નાનકડો ટોટકો ખોલી દેશે કિસ્મતના બંધ તાળા ! અજમાવો આ ખાસ ઉપાય
Image Credit source: AI
| Updated on: Feb 25, 2026 | 4:47 PM
Share

ઘણીવાર આપણને એવું લાગે છે કે મહેનત કરવા છતાં સફળતા મળતી નથી અથવા ઘરમાં કારણ વગર તણાવ રહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ બધું નકારાત્મક ઉર્જાને કારણે હોઈ શકે છે. પ્રાચીન માન્યતાઓમાં આમલીને માત્ર સ્વાદ માટે જ નહીં, પણ નકારાત્મકતા દૂર કરવા માટે પણ પ્રભાવશાળી માનવામાં આવી છે.

નકારાત્મકતા દૂર કરવા માટેનો ઉપાય

જો તમને લાગે કે ઘરનું વાતાવરણ અશાંત રહે છે, તો આ ઉપાય અજમાવો:

  • એક મુઠ્ઠી આમલીના બીજ લો અને તેને રાતભર પાણીમાં પલાળી રાખો.
  • બીજા દિવસે સવારે એ પાણીને ઘરના મુખ્ય દ્વારથી શરૂ કરીને આખા ઘરમાં છાંટો.
  • આમલીમાં વાતાવરણની નકારાત્મકતાને શોષી લેવાની શક્તિ હોય છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને અટકેલા કામોમાં ગતિ આવે છે.

આર્થિક સમસ્યાઓ અને દેવામાંથી મુક્તિ

જો આવક હોવા છતાં ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા દેવું વધી રહ્યું હોય, તો આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે:

  • ગુરુવાર અથવા શુક્રવારના દિવસે આમલીના ઝાડની એક નાનકડી ડાળી લાવો.
  • તેને ગંગાજળથી સાફ કરીને તમારી તિજોરી કે જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં મૂકી દો.
  • જ્યોતિષીય મહત્વ: જ્યોતિષ મુજબ આમલીનો સંબંધ રાહુ અને શનિ સાથે છે. આ ઉપાય કરવાથી ગ્રહ દોષ શાંત થાય છે અને ધન આગમનના નવા રસ્તા ખુલે છે.

માનસિક શાંતિ માટે

  • આમલીના બીજને લાલ કપડામાં બાંધીને ઘરના કોઈ ખૂણામાં રાખવાથી પણ વાસ્તુ દોષ ઓછો થતો હોવાનું માનવામાં આવે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

કોઈપણ વાસ્તુ ઉપાય ત્યારે જ ફળે છે જ્યારે તે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે. ઉપાય કરતી વખતે મન અને શરીરની શુદ્ધિ હોવી અનિવાર્ય છે. લોકમાન્યતા મુજબ જણાવેલ વાર અને પદ્ધતિનું પાલન કરવાથી અવરોધોમાં ઘટાડો મહેસૂસ થઈ શકે છે.

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટેસ્ટ ડ્રાઈવમાં અકસ્માત થાય તો નુકસાન કોણ ભોગવશે? જાણો શું છે નિયમો, વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
g clip-path="url(#clip0_868_265)">