AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: અવેશ ખાન દિલ્હી કેપિટલ્સનો હિસ્સો ના બની શકતા ઋષભ પંતે કહ્યુ ‘સોરી જોડી ના શક્યા’

અવેશ ખાન (Avesh khan) ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો અને સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં બીજા સ્થાને રહ્યો હતો, પરંતુ આ વખતે તે નવી ટીમ માટે રમતા જોવા મળશે.

IPL 2022 Auction: અવેશ ખાન દિલ્હી કેપિટલ્સનો હિસ્સો ના બની શકતા ઋષભ પંતે કહ્યુ 'સોરી જોડી ના શક્યા'
Avesh Khan હવે Lucknow Supergiants ટીમ તરફ થી રમતો જોવા મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 10:49 AM
Share

આઇપીએલ મેગા ઓક્શન 2022 (IPL 2022 Mega Auction) માં ઘણા ખેલાડીઓ પર જોરદાર બોલી લગાવવામાં આવી હતી. ટીમોના પ્રયાસો તેમના જૂના ખેલાડીઓને તેમની સાથે ઉમેરવાના હતા. ઘણી ટીમો આ કરવામાં સફળ પણ રહી હતી. જો કે કેટલાક ખેલાડીઓ પોતાની જૂની ટીમમાં જઈ શક્યા ન હતા અને આમાનુ એક નામ છે અવેશ ખાન (Avesh Khan). અવેશ ખાન અત્યાર સુધી દિલ્હી તરફથી રમતો હતો પરંતુ આ ખેલાડીને હવે નવી ટીમે ખરીદ્યો છે. અવેશ હવે નવી ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ (Lucknow Supergiants) માં રમતા જોવા મળશે. લખનૌએ તેના માટે 10 કરોડ આપ્યા છે અને તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. અવેશે હરાજી લાઈવ જોઈ નથી પરંતુ તેણે પોતાનો અનુભવ જણાવ્યો છે.

અવેશે કહ્યું છે કે તેને 7 કરોડ રૂપિયામાં વેચવાની અપેક્ષા હતી પરંતુ તેને 10 કરોડ રૂપિયામાં વેચવાની આશા નહોતી. અવેશે એમ પણ કહ્યું કે જ્યારે ટીમો તેના માટે લડી હતી તેનાથી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કારણ કે તેને તેવી અપેક્ષા પણ નહોતી.

પાંચ સેકન્ડ માટે જામ થઈ ગયો હતો

મીડિયા રિપોર્ટ મુજબ એક વાતચિચતમાં અવેશે કહ્યું, હું તે સમયે ફ્લાઈટમાં હતો અને મને આશા હતી કે મને સાત કરોડ રૂપિયા મળશે. પરંતુ હું ફ્લાઈટમાં હોવાથી હું હરાજી લાઈવ જોઈ શક્યો નહીં. કઈ ટીમ મને કેટલામાં ખરીદશે તે વિચારીને હું નર્વસ થઈ રહ્યો હતો. ફ્લાઇટમાંથી ઉતર્યા પછી, જ્યારે મને ખબર પડી કે લખનૌએ મને ખરીદ્યો છે, ત્યારે હું પાંચ સેકન્ડ માટે જામ થઇ ગયો. પરંતુ પછી બાબતો સામાન્ય થઈ ગઈ. મેં કહ્યું ઠીક છે.

પંતે શું કહ્યું?

અવેશ લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સ સાથે હતો. ગયા વર્ષે આ જ ટીમ સાથે રમીને તે સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને હતો. પરંતુ હવે તેની દિલ્હી સાથેની સફર પૂરી થઈ ગઈ છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે જે કહ્યું તે અવેશે કહ્યું.

જમણા હાથના બોલરે કહ્યું, હું રિકી પોન્ટિંગ એન્ડ કંપનીને મિસ કરીશ. દિલ્હી કેપિટલ્સ સાથે મારું ભાવુક જોડાણ છે. જ્યારે અમારી ફ્લાઈટ કોલકાતામાં લેન્ડ થઈ ત્યારે હું પંતને મળ્યો, તેણે મને ગળે લગાડ્યો અને કહ્યું, ‘માફ કરજો હું તેને લઈ ન શક્યા.’ કારણ કે તેની પાસે વધુ પૈસા બચ્યા ન હતા અને તેમણે બાકીના ખેલાડીઓ પણ ખરીદવા હતા. જ્યારે મેં પછીથી હરાજી જોઈ, ત્યારે મેં જોયું કે તેઓએ મારા માટે છેલ્લી બોલી તરીકે 8.75 કરોડ રૂપિયા મૂક્યા હતા, પરંતુ પછી લખનૌએ છેલ્લી બોલી લગાવી. પંત સાથેની તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણો હતી. અમે અંડર-19માં સાથે રમ્યા છીએ. અમે હંમેશા મેચ પછી સાથે બેસીએ છીએ.

આ પણ વાંચોઃ IPL 2022 Auction: કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝીના હિસ્સામાં આવ્યો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી અહીં

આ પણ વાંચોઃ IPL 2022 Auction: આ ગુજ્જુ ખેલાડીઓનો જોવા મળ્યો આઇપીએલ ઓક્શનમાં દમ, કોઇ મોંઘી સેલરીએ રિટેન થયા તો, કેટલાક પર લાખ્ખો-કરોડો વરસ્યા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">