AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: રોહિત શર્માએ સિરીઝ પહેલા કેમ કહ્યું , કે મને અને ધવનને ટીમમાંથી ‘બહાર’ કરી દેવા જોઈએ?

રોહિત શર્મા (Rohit Sharma) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) ની વનડે શ્રેણી દ્વારા ભારતીય ODI ટીમના પૂર્ણ-સમયના કેપ્ટન તરીકે દાવની શરૂઆત કરશે.

IND vs WI: રોહિત શર્માએ સિરીઝ પહેલા કેમ કહ્યું , કે મને અને ધવનને ટીમમાંથી 'બહાર' કરી દેવા જોઈએ?
Rohit Sharma એ વન ડે સિરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 5:12 PM
Share

રોહિત શર્મા (Rohit Sharma) તેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રમુજી નિવેદનો માટે જાણીતો છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ફુલ ટાઈમ ODI કેપ્ટન બન્યા બાદ પ્રથમ વખત પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમની આ સ્ટાઈલ પણ જોવા મળી હતી. ભારત-વેસ્ટ ઈન્ડિઝની વનડે સીરીઝ (India vs West Indies ODI) પહેલા તેણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને આવું નિવેદન આપ્યું હતું, જેને સાંભળીને બધા હસવા લાગ્યા હતા. તેને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમના પ્રથમ ત્રણ સ્થાન પર યુવા બેટ્સમેનોને તક ન આપવી જોઈએ.

આના પર રોહિતે પોતાની સ્ટાઈલમાં કહ્યું, ‘તો તમે ઈચ્છો છો કે ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને ઓપનર બનાવવામાં આવે. મને અને શિખર ધવનને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ?’

આ કહેતા રોહિત શર્મા પોતે પણ હસી પડ્યો હતો. આ સાથે જ પ્રશ્નો પૂછનારા પત્રકારો પણ હસવા લાગ્યા હતા. જોકે, રોહિતે વધુમાં કહ્યું હતું કે યુવાનોને તેમને તકો ચોક્કસ મળશે. તેણે સ્પષ્ટ કર્યું કે ઈશાન કિશન તેની સાથે ઓપનિંગ કરશે. શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ કોરોના સંક્રમિત છે. આવી સ્થિતિમાં આ બંનેનું વનડે સિરીઝમાં રમવું મુશ્કેલ બની રહ્યું છે. આ કારણે ઈશાન કિશનને ઓપનર તરીકે તક મળી રહી છે. તે પ્રથમ વનડે ટીમનો ભાગ પણ નહોતો.

ધવન, ગાયકવાડ અને શ્રેયસનુ રમવાનું નક્કી નથી

રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કોરોના વાયરસથી પીડિત ત્રણેય ધવન, ગાયકવાડ અને શ્રેયસ અય્યર હજુ પણ આઈસોલેશનમાં છે. તેઓ ક્યારે રમવા માટે ઉપલબ્ધ થશે તે હજુ નક્કી નથી. રોહિતે કહ્યું, ‘હાલમાં ત્રણેય આઈસોલેશનમાં છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તે સારી બાબત છે. પરંતુ તેમના વિશે કશું ચોક્કસ નથી.

કોરોનાને કારણે સંતુલન બગડે છે

રોહિત શર્માએ સ્વીકાર્યું કે કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થાય છે અને તે ટીમનું સંતુલન પણ બગાડે છે. તેણે કહ્યું, ‘જુઓ, આ મુશ્કેલ પરિસ્થિતિ છે. કોરોનાને કારણે ઘણી અનિશ્ચિતતા છે અને જો આવું કંઈક થાય છે, તો રિકવરીનો સમય અલગ હશે કારણ કે દરેક ખેલાડી અલગ છે. ક્યારેક સાત-આઠ દિવસ તો ક્યારેક 14 દિવસ પણ લાગે છે.

રોહિતે વધુમાં કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન ખેલાડીઓએ પણ પોતાની પસંદગીની જગ્યાથી અલગ રીતે રમવા માટે તૈયાર રહેવું જોઈએ. તેણે કહ્યું, ‘ટીમ તે સમયને સમજે છે જેમાં આપણે જીવી રહ્યા છીએ. તક ગમે ત્યારે આવી શકે છે અને તેમણે તૈયાર રહેવું પડશે. તેણે ટીમ માટે કરવું પડશે અને અમે દરેકને સ્પષ્ટ કરી દીધું છે કે શું થઈ શકે છે. આ સંજોગોમાં ગમે ત્યારે બની શકે છે. તેથી જો કોઈની જગ્યાએ કોઈ આવે તો તેણે તરત જ પોતાને ઢાળીને રમવું પડે છે.

આ પણ વાંચોઃ U19 World Cup: ભારતીય ફતેહ સિંહ અંગ્રેજોની સાથે મળી ભારત સામે મેદાને ઉતરશે, જે 5 વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાને ચીયર કરી રહ્યો હતો, જાણો

આ પણ વાંચોઃ Sabarkantha: 6 વર્ષથી દેશનુ પ્રથમ ડિજિટલ વિલેજ વિકાસની રાહ જોઇ રહ્યુ છે, ગામમાં ના CCTV કે વાઇફાઇ જેવી સુવિધાઓ પણ નથી

આ પણ વાંચોઃ  Sabarkantha: આખરે તલોદ નગર પાલિકાનુ ગુંચવાયેલુ કોકડું ઉકેલાયુ, 7 ભાજપના નારાજ કોર્પોરેટરોએ સમાધાન કર્યુ

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">