AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup: ભારતીય ફતેહ સિંહ અંગ્રેજોની સાથે મળી ભારત સામે મેદાને ઉતરશે, જે 5 વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાને ચીયર કરી રહ્યો હતો, જાણો

Under 19 World Cup 2022 ની ફાઇનલમાં ભારત અને ઇંગ્લૅન્ડ (India Vs England) વચ્ચે ટક્કર થશે. ઇંગ્લૅન્ડમાં ડાબોડી સ્પિન બોલર ફતેહ સિંહ (Fateh Singh) નો સમાવેશ થાય છે, જે ભારત સાથે સંબંધ ધરાવે છે.

U19 World Cup: ભારતીય ફતેહ સિંહ અંગ્રેજોની સાથે મળી ભારત સામે મેદાને ઉતરશે, જે 5 વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાને ચીયર કરી રહ્યો હતો, જાણો
Fateh Singh ભારતીય મૂળના પરિવારમાંથી આવે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 10:39 AM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India U19 Cricket Team vs England U19 Cricket Team) અંડર 19 વર્લ્ડ કપ 2022 (Under 19 World Cup 2022) માં સામસામે છે. ઈંગ્લેન્ડની ટીમમાં એક એવો ખેલાડી છે જે પાંચ વર્ષ પહેલા 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતને સપોર્ટ કરી રહ્યો હતો. પરંતુ હવે તે ભારત સામે મેદાનમાં ઉતરશે. આ ખેલાડી છે ફતેહ સિંહ (Fateh Singh). તે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ICC કોન્ટેસ્ટનો વિજેતા હતો. તેને ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ મળી હતી.

ફતેહ સિંહ મૂળ ભારતનો છે પરંતુ તેનો પરિવાર ઘણા વર્ષો પહેલા ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો. હવે અંડર 19 વર્લ્ડ કપમાં તેણે 24 વર્ષમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડને ફાઇનલમાં પહોંચાડવામાં યોગદાન આપ્યું છે. તેણે બે મેચ રમી છે. તેની 3.15 ની ઈકોનોમી ઈંગ્લિશ બોલરોમાં સૌથી ઓછી છે.

ફતેહ સિંહ ઈંગ્લિશ કાઉન્ટી ટીમ નોટિંગહામશાયર સાથે છે. આ ટીમની એકેડમીમાં જોડાઈને તેણે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તે ડાબોડી સીમર હતો પરંતુ પછી કોચના કહેવાથી ડાબોડી સ્પિનર ​​બન્યો. આ અંગે તેણે એક ક્રિકેટ વેબસાઇટ સાથે વાતચીતમાં કહ્યું, ‘તે ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ બદલાવ પ્રમાણે તેણે પોતાને ઘડ્યો. મેં યુવરાજ સિંહ, ડેનિયલ વેટોરી અને મોન્ટી પાનેસરના વીડિયો જોયા. નવ વર્ષની ઉંમરે ફતેહ નોટિંગહામશાયરની અંડર-11 ટીમનો ભાગ બન્યો. ત્યારબાદ 11 વર્ષની ઉંમરે તેણે પ્રથમ સદી ફટકારી હતી. બાદમાં તે ટીમની અંડર-13 ટીમનો કેપ્ટન બન્યો.

બીમારીને લઇ વાળ ખરી ગયા

2015માં ફતેહ સિંહ એલોપેસિયા યુનિવર્સાલિસ નામની બીમારીની ઝપેટમાં આવ્યો હતો. જેના કારણે તેના શરીર પરના તમામ વાળ ખરી પડ્યા હતા. પરંતુ ફતેહ તેની બીમારીને કારણે કોઈ સહાનુભૂતિ લેવા માંગતો નથી. તેણે કહ્યું કે આ રોગ શારીરિક સ્વાસ્થ્યને અસર કરતું નથી. માત્ર વાળ ખરે છે. શરૂઆતમાં તેને સ્વીકારવું મુશ્કેલ હતું પરંતુ હવે તેમને કોઈ સમસ્યા નથી.

2018ની ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં ફતેહ નેટ બોલર હતો

જ્યારે ભારતે 2018માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે ફતેહ ઈંગ્લિશ ટીમનો નેટ બોલર હતો. આ દરમિયાન તેને મોઈન અલી તરફથી ઘણી મદદ મળી. આ અંગે તેણે કહ્યું, ‘હું 2018માં ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં નેટ બોલર હતો. ત્યારે મોઈન અલી મને ઓળખતા ન હતા પરંતુ તેમણે તેમની ટ્રેનિંગમાંથી સમય કાઢીને વાત કરી. તેમણે અનેક સૂચનો આપ્યા. હું થોડો મોઈન જેવો છું અને તે મારા પ્રિય ક્રિકેટર છે. તે નિર્ભય છે અને મોટા શોટ ફટકારે છે.

IPLમાં રમવાની ઈચ્છા

ફતેહે 2021માં અંડર-18 તરફથી રમતી વખતે 11.57ની એવરેજથી 28 વિકેટ લીધી હતી. આ કારણે તેને નોટિંગહામશાયરની સેકન્ડ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. ઇંગ્લૅન્ડની અંડર-19 ટીમમાં પણ પસંદગી પામી છે. વર્લ્ડ કપ બાદ ફતેહ નોટિંગહામશાયરની ફર્સ્ટ ઈલેવનમાં રમવા માંગે છે. હાલમાં તેની આ ટીમ સાથે બે વર્ષની ડીલ છે. તે આઈપીએલમાં રમવાની પણ ઈચ્છા ધરાવે છે.

ઉપરાંત, આ ટુર્નામેન્ટમાં એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો કમાલ કરવા માંગુ છું. મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને આરસીબી તેની ફેવરિટ ટીમોમાં સામેલ છે.

આ પણ વાંચોઃ IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

આ પણ વાંચોઃ  U19 World Cup, IND vs ENG, Head to Head Records: કોણ ઉઠાવશે વિશ્વકપ, ભારત કે ઇંગ્લેન્ડ? ફાઇનલ પહેલા 8 મેચોનુ હેડ ટુ હેડ રિપોર્ટ કાર્ડ, જુઓ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">