Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં કરશે વાપસી, BCCI લેશે મોટો નિર્ણય!

હાર્દિક પંડ્યાએ તેની છેલ્લી ટેસ્ટ મેચ 2018માં રમી હતી, ત્યારબાદ તે પીઠની ઈજાને કારણે આ ફોર્મેટમાં પરત ફરી શક્યો ન હતો. વનડે અને T20માં જોરદાર વાપસી કર્યા બાદ તેને ટેસ્ટ ટીમમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

IND vs WI : હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં કરશે વાપસી, BCCI લેશે મોટો નિર્ણય!
Hardik Pandya in Test
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 9:56 PM

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમે વધુ તૈયારી કરવાની છે. જુલાઈમાં, ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં ODI અને T20 શ્રેણી સિવાય, તેણે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે. આ સિરીઝ માટે સિનિયર ખેલાડીઓની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે હવે હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમમાં પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ફરીથી ટેસ્ટ ટીમમાં સ્થાન આપવા ઈચ્છે છે અને આ માટે બોર્ડ તેની સાથે વાત કરશે. છેલ્લા કેટલાક સમયમાં ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કરી રહેલ હાર્દિક પંડ્યાએ ફિટનેસના કારણોસર 5 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી નથી.

IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો

BCCI હાર્દિકને ટેસ્ટ ટીમમાં લેવા માંગે છે

તાજેતરના સમયમાં IPLમાં કેપ્ટનશિપમાં સફળ રહેલો અને સારું પ્રદર્શન કરી રહેલો હાર્દિક ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી સાબિત થયો છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ટીમમાં તેની ક્ષમતાના ખેલાડીની પણ જરૂર છે, પરંતુ ફિટનેસને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ઈનસાઈડ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર, BCCI હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમમાં જોવા માંગે છે પરંતુ સવાલ એ છે કે શું હાર્દિક પોતે આ માટે તૈયાર છે.

5 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી હાર્દિક

અનુભવી ઓલરાઉન્ડર હાર્દિકે છેલ્લી ટેસ્ટ 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમી હતી. ત્યારથી, તે પીઠની સમસ્યાને કારણે આ ફોર્મેટમાં ફરીથી રમી શક્યો નથી. જોકે છેલ્લા એક વર્ષથી તે સતત ફિટ દેખાઈ રહ્યો છે અને વનડે અને T20માં પણ સારું રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તેની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની સંભાવના વધી ગઈ છે.

આ પણ વાંચોઃ ICCએ WTC 2025નું શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવા કઈ ટીમો સામે ટકરાશે?

ટેસ્ટમાં વાપસી અંગે હાર્દિકે શું કહ્યું?

થોડા સમય પહેલા જ હાર્દિકે આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સના કેપ્ટને કહ્યું હતું કે તે આ ફોર્મેટમાં ત્યારે જ આવવા માંગશે જ્યારે તે પોતાને ટેસ્ટ ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર માને છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે એવા લોકોનું સ્થાન લેવા માંગતો નથી જેઓ ઘરેલુ ક્રિકેટમાં સીધી એન્ટ્રી લઈને સતત મહેનત કરી રહ્યા છે. હાર્દિકે કહ્યું હતું કે તે પોતે પણ આવી જ પ્રક્રિયામાંથી પસાર થઈને ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">