IND vs ENG: ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગને લઇને સવાલો થવા લાગતા જ વિરાટ કોહલી બચાવ કરવા લાગ્યો

ન્યુઝીલેન્ડ સામે ની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ગુમાવવા બાદ વિરાટ કોહલી એ કહ્યુ હતુ કે, જરુરીયાત મુજબ ટીમમાં પરીવર્તન કરાશે. તેના બાદ માનવામાં આવી રહ્યુ હતુ કે, પજારાનુ ભારતીય ટીમમાં ટકવુ મુશ્કેલ બનશે.

IND vs ENG: ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગને લઇને સવાલો થવા લાગતા જ વિરાટ કોહલી બચાવ કરવા લાગ્યો
Virat Kohi-Cheteshwar Pujara-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:32 AM

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો બચાવ કર્યો છે. પૂજારાના સ્ટ્રાઈક રેટના સવાલ પર તેમણે કહ્યું કે, આ ભારતીય બેટ્સમેનને એકલો છોડી દેવો જોઈએ. કારણ કે કોઈની રમતમાં ખામી પોતે જ નક્કી કરવી જોઈએ, આ ટીકાકારોનું કામ નથી. ભારતની વર્તમાન ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) રન બનાવવાના મામલે વિરાટ કોહલી પછી બીજા ક્રમે છે. તેણે 86 મેચમાં 6267 રન બનાવ્યા છે. પરંતુ હાલના સમયમાં તેની વધુ પડીતી રક્ષણાત્મક રમતની ઘણી ટીકા થઈ રહી છે. આ કારણે તેમના પર ઘણું દબાણ પણ વધ્યું છે.

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC Final) માં હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે જરૂરિયાત મુજબ ટીમમાં ફેરફાર કરશે. આ પછી એવું માનવામાં આવતું હતું કે, પૂજારાનુ ટીમમાં સ્થાન હવે જોખમમાં છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆતના એક દિવસ પહેલા, કોહલીએ પૂજારાનો બચાવ કર્યો હતો. પરંતુ સાથે સાથે આ શરત લાગુ કરતા પણ જોવા મળ્યો હતો. તેણે કહ્યું, ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યું છે, અને પ્રામાણિકપણે મને લાગે છે કે તેના જેવી ક્ષમતા અને અનુભવ ધરાવતા ખેલાડીને એકલો છોડી દેવો જોઈએ. તેની પોતાની રમતમાં ખામીઓ શોધવાનું કાર્ય સંપૂર્ણપણે પોતાનું કામ છે.

કેપ્ટન કોહલી કહ્યુ હતુ, આલોચનાઓની પરવાહ નથી કરતા પુજારા

કેપ્ટને કહ્યું કે આ તબક્કે ખેલાડીઓને તેમની જવાબદારીનો અહેસાસ થાય છે. બિનજરૂરી ટીકા તેમને પરેશાન કરતી નથી, પૂજારાને સહેજેય તેની પરવા નથી. કોહલીએ કહ્યું, એ જ રીતે, હું અથવા અન્ય કોઈ ખેલાડી સંપૂર્ણ રીતે વાકેફ છીએ કે, આપણે ટીમના સારા માટે શું કરવાનું છે. હું જાણું છું કે પુજારા ટીકાની પરવા કરતા નથી. લોકો જે ચાહે તે કહી શકે છે. પરંતુ આખરે તે હોય છે તો શબ્દો જ ને, જો તમને લાગે છે કે તેનો તમારા માટે કોઇ મતલબ નથી, તો તમે આગળ વધો છો અને તમારા રસ્તે ચાલતા રહો છો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પુજારાની સ્ટ્રાઇક રેટની બાબતે ચર્ચા ફરી એકવાર ગરમ થઇ છે. આ પ્રવાસ પર તેણે ખૂબ જ ધીમી બેટીંગ કરી હતી. જોકે તેના પ્રકારે ભારતના લોકોનુ દીલ જીતી લેવામાં મદદ કરી હતી. તેના બાદ ઇંગ્લેંન્ડ સામે ઘરેલુ સિરીઝમાં પુજારાની ધીમી બેટીંગે સૌનુ ધ્યાન ખેચ્યુ હતુ. ત્યારે અનેક લોકો એ કહ્યુ હતુ કે, જરુર કરતા ધીમી રમત રમી ને પુજારા પોતાને ટીમને મુશ્કેલીમાં નાંખી દે છે.

આ પણ વાંચો: IND vs ENG 1st Test: વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી પર આપ્યો જવાબ, કોહલીએ પ્લેઈંગ 11 પર કહ્યું આમ

આ પણ વાંચો: IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યું બાયોબબલને કારણે ખેલાડીઓ થાકી જાય છે, બ્રેક વિના ગુણવત્તા જાળવવી મુશ્કેલ

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">