AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ટીમ ઈન્ડિયાએ નવા કેપ્ટનની કરી જાહેરાત, શ્રેણીની વચ્ચે આ ખેલાડીનું બદલાયું નસીબ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય મેનેજમેન્ટે એક મોટો નિર્ણય લીધો છે અને અનુભવી બેટ્સમેનને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપી છે.

IND vs ENG : ટીમ ઈન્ડિયાએ નવા કેપ્ટનની કરી જાહેરાત, શ્રેણીની વચ્ચે આ ખેલાડીનું બદલાયું નસીબ
Team IndiaImage Credit source: PTI
| Updated on: Jul 31, 2025 | 6:21 PM
Share

લંડનના ઐતિહાસિક ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ છેલ્લી મેચ માટે, ભારતીય ટીમે પ્લેઈંગ 11 માં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અને નવા વાઈસ કેપ્ટનની પણ જાહેરાત કરી છે.

નવા વાઈસ કેપ્ટનની જાહેરાત

વાસ્તવમાં, ભારતીય ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છે પરંતુ ઈજાને કારણે તે આ મેચમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, તેના સ્થાને ભારતીય ટેસ્ટ ટીમના હાલના સૌથી અનુભવી બેટ્સમેનને આ મોટી જવાબદારી મળી છે.

કેએલ રાહુલને મળી જવાબદારી

ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે. કેએલ રાહુલને વાઈસ કેપ્ટન બનાવવાનો નિર્ણય તેના અનુભવ અને ફોર્મને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રાહુલ પાસે કેપ્ટનશીપનો પણ અનુભવ છે. છેલ્લી મેચમાં પણ રાહુલે થોડા સમય માટે મેદાન પર ટીમની કમાન સંભાળી હતી.

પંતની જગ્યાએ જુરેલ ટીમમાં સામેલ

પંતની ગેરહાજરીમાં, ભારતીય ટીમે પ્લેઈંગ 11 માં કેટલાક નવા ચહેરાઓને તક આપી છે. ધ્રુવ જુરેલને વિકેટકીપર તરીકે પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લી બે મેચમાં, જ્યારે રિષભ પંત ઘાયલ થયો હતો, ત્યારે ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળી હતી. ધ્રુવ જુરેલની ઈંગ્લેન્ડમાં આ પહેલી ટેસ્ટ મેચ છે.

કેએલ રાહુલ માટે યાદગાર શ્રેણી

આ શ્રેણી કેએલ રાહુલ માટે અત્યાર સુધી ખૂબ સારી રહી છે. ઓપનર તરીકે રમતા, તેણે દરેક મેચમાં રન બનાવ્યા છે. શ્રેણીની પહેલી મેચમાં તેણે 42 અને 137 રન બનાવ્યા હતા. જ્યારે બીજી મેચમાં તેણે 2 અને 55 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજી ટેસ્ટમાં તેણે 100 અને 39 રનની ઈનિંગ્સ રમી હતી. માન્ચેસ્ટર ટેસ્ટમાં પણ તેણે પહેલી ઈનિંગ્સમાં 46 અને છેલ્લી ઈનિંગ્સમાં 90 રન બનાવ્યા હતા. જોકે ઓવેલમાં તે માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કરુણ નાયર, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

આ પણ વાંચો: IND vs ENG : ટીમ ઈન્ડિયા સતત 15મી વખત હારી, ઓવલમાં પણ નસીબ ન બદલાયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">