IND-ENG મેચ દરમ્યાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી આખી દુનિયામાં પહોંચશે આ મોટો જાગૃતિ સંદેશ, જુઓ Video
"IND vs ENG મેચ દરમિયાન 'Donate Organs, Save Lives' અભિયાન અંતર્ગત પ્રેક્ષકો અંગદાનની પ્રતિજ્ઞા લેશે. આ પહેલ દ્વારા સામાજિક જાગૃતિ વધારવા અને વિશ્વમાં નવો ઇતિહાસ રચવાનો પ્રયાસ કરવામાં આવશે."

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચ દરમિયાન એક અનોખું સામાજિક અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન “Donate Organs, Save Lives” નો ઉદ્દેશ્ય લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. BCCIના અધ્યક્ષ જય શાહે આ અભિયાનની જાહેરાત કરી છે અને આ અભિયાનની અનોખી શરૂઆતની માહિતી આપી છે.
On the occasion of the 3rd ODI between India and England in Ahmedabad on February 12th, we are proud to launch an awareness initiative – “Donate Organs, Save Lives.”
Sport has the power to inspire, unite, and create lasting impact beyond the field. Through this initiative, we…
— Jay Shah (@JayShah) February 10, 2025
અભિયાનની વિશેષતાઓ:
- સ્ટેડિયમમાં હાજર દર્શકો અંગદાનની પ્રતિજ્ઞા લેશે.
- ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને BCCIના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- મેદાનમાં 1000થી વધુ સ્વયંસેવકો શપથ લેવડાવશે અને અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવશે.
- સામાજિક મીડિયા પર પણ ભારતના ટોચના ક્રિકેટરો દ્વારા પ્રેરણાદાયક સંદેશ પ્રસારિત કરવામાં આવશે.
વિશેષ કાર્યક્રમ:
- રેડક્રોસ સોસાયટી દ્વારા જાહેર કરાયેલા QR કોડ દ્વારા અંગદાન સંમતિ ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
- સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન રેડક્રોસ દ્વારા વિશેષ રજિસ્ટ્રેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.
- ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં હાજર દર્શકો દ્વારા સૌથી વધુ અંગદાન શપથ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ક્રિકેટ અને સામાજિક જવાબદારી: આ અભિયાન માત્ર એક રમત નહીં, પરંતુ એક મહાન સંદેશ પણ છે. એક વ્યક્તિના અંગદાનથી 8 લોકોનું જીવન બચાવી શકાય. BCCI અને રેડક્રોસ સોસાયટી દ્વારા આ અભિયાનને સાકાર કરવા માટે તમામ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે.
,
Be a part of the organ donation initiative on the 12th of February at the Narendra Modi Stadium in Ahmedabad! ️
Pledge to donate your organs and make a difference #TeamIndia | #DonateOrgansSaveLives pic.twitter.com/rxreUuhq65
— BCCI (@BCCI) February 11, 2025
બુધવારે ભારતની ટીમ ઈંગ્લેન્ડ સામે સીરિઝમાં વિજય મેળવવા ઉતરશે, પણ સાથે સાથે સ્ટેડિયમમાં સામાજિક બદલાવની એક નવી મિસાલ પણ સ્થાપિત થશે. આ અનોખી પહેલના ભાગરૂપે, દરેક વ્યક્તિએ આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને જીવન બચાવવા માટે અંગદાનની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જે આજની સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.