AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડના કોચના નિવેદને રોહિત શર્માની વધારી મુશ્કેલી, ટીમ ઈન્ડિયાને મળ્યો ખુલ્લો પડકાર!

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. પ્રથમ દાવમાં લીડ લેવા છતાં ટીમ ઈન્ડિયા 28 રનથી મેચ હારી ગઈ હતી. હવે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં છે અને આ મેચ પહેલા ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે ભારતીય ખેલાડીઓનું ટેન્શન વધારવા મોટો પ્લાન તૈયાર કર્યો છે.

ઈંગ્લેન્ડના કોચના નિવેદને રોહિત શર્માની વધારી મુશ્કેલી, ટીમ ઈન્ડિયાને મળ્યો ખુલ્લો પડકાર!
Rohit Sharma & Brendon McCullum
| Updated on: Jan 31, 2024 | 8:16 AM
Share

હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયાને 28 રને હરાવ્યા બાદ ઈંગ્લેન્ડનું મનોબળ ઉંચુ છે. હવે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ બીજા પડકારનો સામનો કરવા જઈ રહ્યું છે અને આ મેચ પહેલા ઈંગ્લિશ ટીમે માઈન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે એક નિવેદન આપ્યું છે જેનાથી રોહિત શર્માની મુશ્કેલીઓ વધી શકે છે.

ઈંગ્લેન્ડ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે!

ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું છે કે તે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. મતલબ કે, ઈંગ્લેન્ડની ટીમ જો રૂટ સિવાય ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમે જેક લીચ, ટોમ હાર્ટલી અને રેહાન અહેમદને મેદાનમાં ઉતાર્યા હતા અને હવે બીજી ટેસ્ટમાં તેનો ચોથો અસલી સ્પિનર ​​શોએબ બશીર બની શકે છે. તમને જણાવી દઈએ કે વિઝા વિવાદને કારણે શોએબ બશીર પ્રથમ ટેસ્ટમાં રમ્યો નહોતો. પરંતુ હવે તે ભારત પહોંચી ગયો છે અને તેની ઓફ સ્પિન ટીમ ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

ઈંગ્લિશ સ્પિનરો ટીમ ઈન્ડિયાની 18 વિકેટ લીધી

તમને જણાવી દઈએ કે, પ્રથમ ટેસ્ટમાં સ્પિનરો સામે ટીમ ઈન્ડિયાની 18 વિકેટ પડી હતી. બાકીની બે વિકેટ રન આઉટ તરીકે પડી હતી. તે મેચમાં ઈંગ્લેન્ડે ફાસ્ટ બોલર માર્ક વુડને તક આપી હતી જે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. આ જ કારણ છે કે આગામી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે અને પાંચમો સ્પિનર ​​જો રૂટ બની શકે છે. જોકે, ઈંગ્લેન્ડને કદાચ એવી પણ શંકા છે કે હૈદરાબાદ કરતાં વિશાખાપટ્ટનમમાં વધુ ટર્નિંગ ટ્રેક બની શકે છે અને તેથી જ મેક્કુલમે બીજા સ્પિનરને રમવાની વાત કરી છે.

સ્પિનરો સામે ભારતીય બેટ્સમેન પણ ફ્લોપ રહ્યા

જો કે, જો ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં ટર્નિંગ ટ્રેક બનાવે છે, તો આ પગલું તેમના માટે પણ જોખમથી ઓછું નથી. કારણ કે રોહિત શર્મા સિવાય અન્ય કોઈ બેટ્સમેન નથી જે સ્પિનરો સામે આસાનીથી રમી શકે. ગિલ અને અય્યરનું ફોર્મ ખરાબ છે. રાહુલ અને જાડેજા ઈજાના કારણે બહાર છે.

આ પણ વાંચો : જ્યારે સચિન તેંડુલકરનું દિલ તૂટી ગયું, આ કામ અધૂરું રહી જવાનો હંમેશા અફસોસ રહેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">