AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લગ્નના ચાર વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ સ્ટાર ભારતીય ક્રિકેટરના લગ્નમાં ભંગાણ, પત્નીથી લીધા છૂટાછેડા

ટીમ ઈન્ડિયા માટે સાત મેચ રમનાર લેગ-સ્પિનર ​​રાહુલ ચહરના લગ્ન માર્ચ 2022 માં થયા હતા. તેના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ગોવામાં તેમનું ડેસ્ટિનેશન વેડિંગ હતું, જેમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે લગ્નની ચોથી એનિવર્સરી પહેલા જ તેમના ડિવોર્સ થઈ ગયા છે.

Breaking News: લગ્નના ચાર વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ સ્ટાર ભારતીય ક્રિકેટરના લગ્નમાં ભંગાણ, પત્નીથી લીધા છૂટાછેડા
Rahul Chahar & Ishani JoharImage Credit source: INSTAGRAM
| Updated on: Feb 20, 2026 | 7:07 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર ​​રાહુલ ચહર અને તેની પત્ની ઈશાની અલગ થઈ ગયો છે. લગ્નના ચાર વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ રાહુલ અને ઈશાનીએ છૂટાછેડા લઈ લીધા છે. ભારતીય ક્રિકેટરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન પોસ્ટ કરીને આ દુઃખદ સમાચાર પોતાના ચાહકો સાથે શેર કર્યા. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ટીમની બહાર રહેલા રાહુલ ચહરએ જણાવ્યું કે તેણે બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે અને પોતાના જીવનનો આ અધ્યાય પૂર્ણ કરી રહ્યો છે.

રાહુલ ચહર અને ઈશાની જોહરના ડિવોર્સ

ટીમ ઈન્ડિયા માટે સાત આંતરરાષ્ટ્રીય મેચોમાં 10 વિકેટ લેનારા 26 વર્ષીય લેગ-સ્પિનર ​​રાહુલ ચહરે શુક્રવાર, 20 ફેબ્રુઆરીના રોજ એક નિવેદનમાં ખુલાસો કર્યો કે આ પ્રક્રિયા છેલ્લા 15 મહિનાથી ચાલી રહી હતી. માત્ર 22 વર્ષની ઉંમરે લગ્ન કરનાર રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે નાની ઉંમરે લગ્ન કર્યા હતા અને તે પોતાનું મૂલ્ય કે પોતાના જીવનને સંપૂર્ણપણે સમજી શક્યો ન હતો, પરંતુ તેનાથી તેને એવા પાઠ શીખવા મળ્યા જેની તેણે ક્યારેય અપેક્ષા નહોતી રાખી.

View this post on Instagram

A post shared by Rahul Chahar (@rdchahar1)

ચોથી એનિવર્સરી પહેલા સંબંધોનો અંત

રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્ન 9 માર્ચ, 2022 ના રોજ ગોવામાં થયા હતા. આ લગ્નમાં ફક્ત તેમના પરિવારજનો જ હાજર રહ્યા હતા, જેમાં રાહુલના પિતરાઈ ભાઈ અને ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહરનો પણ સમાવેશ થાય છે. તે સમયે આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી, કારણ કે રાહુલ ત્યારે જ IPLમાં સ્ટાર બન્યો હતો અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો હતો. તે સમયે તેની નાની ઉંમરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હવે, તેની ચોથી લગ્ન વર્ષગાંઠ પહેલા, તેના સંબંધોનો અંત આવી ગયો છે.

રાહુલ ચહરે શું કહ્યું?

રાહુલ અને ઈશાનીએ તેમના નિવેદનમાં તેમના લગ્ન તૂટવા પાછળનું કોઈ કારણ આપ્યું નથી. જોકે, ભારતીય ક્રિકેટરે કહ્યું કે તે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે આગળ વધી રહ્યો છે. રાહુલે લખ્યું, “છેલ્લા 15 મહિના કોર્ટમાંથી પસાર થયા છે. ધીરજ, સ્થિતિસ્થાપકતા અને સત્યમાંથી આવતી તાકાત શીખી રહ્યા છે. આજે, મારા જીવનમાં આ ચેપ્ટરનો અંત આવે છે. યોગ્ય કાનૂની પ્રક્રિયા પછી, ભારે કિંમત ચૂકવીને, કેસનો નિકાલ થયો છે, અને મારા જીવનનો આ તબક્કો સમાપ્ત થયો છે. હું આ પ્રકરણ ગુસ્સા કે અફસોસ સાથે નહીં, પરંતુ સ્પષ્ટતા સાથે બંધ કરું છું.”

T20 WC Breaking : વિવાદની અસર કે મુકાબલાનો રોમાંચ… ભારત-પાકિસ્તાન મેચમાં T20 વર્લ્ડ કપ ફાઈનલનો તૂટી ગયો રેકોર્ડ

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
g clip-path="url(#clip0_868_265)">