Breaking News : IND vs PAK મેચમાં મોબાઈલ વિવાદ, પાકિસ્તાનના કોચે તોડ્યો ICCનો નિયમ
Sarfaraz Ahmed : અંડર-19 વર્લ્ડકપ 2026 વચ્ચે પાકિસ્તાનની ટીમના મેન્ટર સરફરાઝ અહેમદ એક મોટા વિવાદમાં ફસાયો છે. તેમનો એક ફોટો, જે ભારત-પાકિસ્તાન મેચનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

U19 World Cup, Sarfaraz Ahmed : અંડર-19 વર્લ્ડકપના સુપર-6 સ્ટેજમાં ભારત-પાકિસ્તાનની ટીમ આમને-સામને થઈ હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમના મેન્ટર સરફરાઝ અહમદે એવું કાંઈ કર્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાઈવ મેચ દરમિયાન ફોનનો ઉપયોગ કરતો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે આઈસીસીના નિયમો વિરુદ્ધ છે. સરફરાઝ અહમદને આ ભૂલની મોટી સજાનો પણ સામનો કરવો પડી શકે છે.
સરફરાઝ અહમદ આવ્યો વિવાદમાં
સરફરાઝ અહમદનો આ વાયરલ ફોટો પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાન અંડર 19 ટીમના મેન્ટર સરફરાઝ અહમદનો મોબાઈલ ઉપયોગ કરવાની પરવાનગી કોને આપી? કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ આઈસીસી નિયમોના ઉલ્લંધન ગણાવતા સવાલો ઉઠાવી રહ્યા છે. તો કેટલાક આને મેચ ફિક્સિંગ સાથે જોડાયું છે. આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો છે અને તે PMOA ની અંદર છે કે બહાર છે તે સ્પષ્ટ નથી. ખેલાડીઓ અને મેચ અધિકારીઓ માટે સ્ટેડિયમમાં એક નિયુક્ત વિસ્તાર હોય છે, જેનું સંચાલન PMOA દ્વારા કરવામાં આવે છે.
Questions are being raised about ICC protocol after Pakistan U19 mentor Sarfaraz Ahmed was spotted using a mobile phone during the match against India. With a strict ban on communication devices in the dressing room how was this permitted? #U19WorldCup #INDvPAK pic.twitter.com/Fgx4ctYkqN
— CaptainX (@heyCaptainX) February 1, 2026
શું છે PMOAનો નિયમ?
PMOAએ વિસ્તારમાં ટીમો અને મેચ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રેસિંગ રૂમ, મેચ વિસ્તાર (ડગ-આઉટ સહિત), અમ્પાયરો અથવા મેચ રેફરી દ્વારા ઉપયોગમાં લેવાતા કોઈપણ રૂમ, ટીમો અને મેચ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા કોઈપણ ડાઇનિંગ વિસ્તારો અને આઈસીસી એન્ટી કરપ્શન મેનેજર દ્વારા નિયુક્ત કોઈપણ વિસ્તારોનો સમાવેશ થાય છે. પીએમઓએ વિસ્તારમાં એક્રેડિટેશન કાર્ડ વિના પ્રવેશ પ્રતિબંધિત છે, જે ફક્ત ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે જ ઉપલબ્ધ છે.
PMOA વિસ્તારમાં કમ્યુનિકેશન ડિવાઈસનો ઉપયોગ કરવાનો પણ નિયમો વિરુદ્ધ હોય છે. ત્યારે સરફરાઝ અહમદ દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવાનો નિયમ વિરુદ્ધ છે.PMOA વિસ્તારમાં નિયમ તોડવા પર ભારે દંડ થઈ શકે છે, જેના કારણે સરફરાઝ અહેમદ સામે કાર્યવાહી થઈ શકે છે.
