AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: MS ધોની 16 એપ્રિલે લેશે મોટો નિર્ણય, IPL 2026માં રમવા અંગે સસ્પેન્સ થશે ખતમ

ધોની હાલમાં ઈજાથી પરેશાન છે. આ કારણે તે IPL 2026 માં હજુ સુધી એકપણ મેચ રમી શક્યો નથી. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચમાં તેની વાપસીના અહેવાલો આવ્યા હતા, પરંતુ તેવું બન્યું નહીં. હવે શું ધોની હૈદરાબાદ સામે આગામી મેચમાં રમશે આ મોટો સવાલ છે? અને અહેવાલો અનુસાર આ અંગે ધોની 16 એપ્રિલે મોટો નિર્ણય લેશે.

Breaking News: MS ધોની 16 એપ્રિલે લેશે મોટો નિર્ણય, IPL 2026માં રમવા અંગે સસ્પેન્સ થશે ખતમ
MS DhoniImage Credit source: X
| Updated on: Apr 15, 2026 | 3:40 PM
Share

એમએસ ધોની 16 એપ્રિલે એક મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. આ નિર્ણય આગામી IPL 2026 મેચમાં તેના રમવા સાથે સંબંધિત હશે. IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો આગામી મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ 18 એપ્રિલે હૈદરાબાદમાં રમાશે. પરંતુ શું ધોની આ મેચમાં રમશે? શું તે હૈદરાબાદ ટ્રાવેલ કરશે? શું CSK ફેન્સને ધોનીના કેમબેકની હજી વધુ રાહ જોવી પડશે? આ એવા પ્રશ્નો છે જેનો જવાબ ધોનીના નિર્ણય બાદ મળશે.

ધોની 16 એપ્રિલે અંતિમ નિર્ણય લેશે

એક અહેવાલ મુજબ, ધોની 16 એપ્રિલની સવારે હૈદરાબાદ ટ્રાવેલ કરવા અંગે અંતિમ નિર્ણય લે તેવી અપેક્ષા છે. આ નિર્ણયથી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેના રમવાના સસ્પેન્સનો અંત આવશે. જો ધોની હૈદરાબાદ જવાનું નક્કી કરે છે, તો તે ત્યાં રમશે તેની પૂરી શક્યતા છે. પણ જો ધોની હૈદરાબાદ નહીં જાય, તો તે 18 એપ્રિલના રોજ યોજાનારી મેચમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.

ઈજાના કારણે એક પણ મેચ રમ્યો નથી

ઈજાને કારણે, ધોની પોતાની રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચેન્નાઈમાં જ છે અને ટીમના સપોર્ટ સ્ટાફની દેખરેખ હેઠળ રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, એમએસ ધોની સંપૂર્ણપણે ફિટ થવાની નજીક છે. ધોની પગની પિંડીની ઈજાથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તે IPL 2026 ની શરૂઆતની મેચોથી દૂર રહ્યો છે. CSK એ IPL 2026 માં અત્યાર સુધી પાંચ મેચ રમી છે, પરંતુ ધોની તેમાંથી એક પણ મેચમાં રમતો જોવા મળ્યો નથી.

શું ધોની 18 એપ્રિલે SRH સામે રમશે?

14 એપ્રિલે ચેપોક સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધોનીના રમવાની અપેક્ષા હતી. જોકે, જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટીમની જાહેરાત કરી ત્યારે ધોનીનું નામ ગાયબ હતું. હવે બધાની નજર ગુરુવાર 16 એપ્રિલ પર છે. જ્યારે આગામી મેચમાં ધોનીના રમવા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.

Breaking News : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રોહિત શર્મા ઈજાના કારણે આગામી મેચોમાંથી થયો બહાર

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">