Breaking News : અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં એક ક્રિકેટરનું પણ થયું મોત, 5 દિવસ પછી થયો ખુલાસો
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કુલ 241 લોકોના મોત થયા હતા, જે વિમાનમાં સવાર હતા. ચોંકાવનારી વાત એ છે કે આમાં એક યુવા ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે, જેણે પોતાની રમતથી સ્થાનિક ક્રિકેટમાં ખાસ ઓળખ બનાવી હતી.

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. ખરેખર, 12 જૂનના રોજ, એર ઈન્ડિયાનું 171 બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાન અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટનામાં એક ક્રિકેટરનો પણ જીવ ગયો હતો.
વિમાન દુર્ઘટનામાં ક્રિકેટરનું મોત
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 23 વર્ષીય યુવા ક્રિકેટર દીર્ઘ પટેલ પણ સામેલ હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું છે. દીર્ઘ પટેલ ઈંગ્લેન્ડના લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબનો ઉભરતો ઓલરાઉન્ડર હતો. તે હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માં માસ્ટર્સ ડિગ્રી મેળવી રહ્યો હતો. ક્રિકેટના મેદાન પર તેની પ્રતિભાથી બધા પ્રભાવિત થયા હતા.
️ दुखद खबर | युवा क्रिकेटर दीर्ध पटेल 23 की भी एयर इंडिया विमान हादसे में हादसे में मौत!
वह इंग्लैंड के Leeds Modernians Cricket Club से जुड़े थे और Huddersfield University के छात्र रह चुके थे। By: @sports_tak #PlaneCrash pic.twitter.com/0MnXh7qeFx
— Silly Cricketer (@SillyCricketers) June 17, 2025
પોતાની રમતથી ઈંગ્લેન્ડમાં છાપ છોડી
ગયા સિઝનમાં, દીર્ઘ પટેલે ઈંગ્લેન્ડના લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે 312 રન બનાવ્યા હતા અને 29 વિકેટ લીધી હતી, જેના કારણે તે તેના ક્લબના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંનો એક બન્યો હતો. તેની આક્રમક બેટિંગ અને ચતુરાઈભરી બોલિંગે તેને સ્થાનિક ક્રિકેટમાં ખાસ ઓળખ અપાવી હતી. પરંતુ તેણે નાની ઉંમરે જ આ દુનિયાને અલવિદા કહી દીધું. દીર્ઘ પટેલ 2024માં લીડ્સ મોડર્નિયન્સ માટે વિદેશી ખેલાડી તરીકે રમ્યો હતો. લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબે દીર્ઘ પટેલના મૃત્યુના સમાચાર પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ લિટ્ટી-ચોખા ખાવાનું કર્યું બંધ, વજન ધટાડવા ફોલો કરે છે ખાસ ડાયેટ પ્લાન
