AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 ઓક્શન પહેલા આ ખેલાડીએ લીધો સંન્યાસ, હવે KKR માટે આ કામ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડરે મોટો નિર્ણય લીધો છે. તેમણે આઈપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આંદ્ર રસેલ છેલ્લા 12 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ હતો.

Breaking News : IPL 2026 ઓક્શન પહેલા આ ખેલાડીએ લીધો સંન્યાસ, હવે KKR માટે આ કામ કરશે
| Updated on: Nov 30, 2025 | 3:54 PM
Share

વેસ્ટઈન્ડિઝનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ નિર્ણય જાહેર કરી તેમણે કહ્યું કે, તે મેદાનમાંથી ભલે વિદાય લઈ રહ્યો છે, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સના પરિવારનો ભાગ જરુર રહેશે. તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સે હાલમાં આંદ્રે રસેલને ટીમમાંથી રિલીઝ કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતુ કે, તે ઓક્શનમાં ઉતરશે પરંતુ હવે તેમણે આઈપીએલમાં ન રમવાની જાહેરાત કરી છે.તેમજ કોચિંગ સ્ટાફમાં મહ્તવની ભૂમિકા નિભાવશે.

14 વર્ષના આઈપીએલ કરિયરનો અંત

આંદ્ર રસેલે 2012માં દિલ્હી કેપિટલ્સની સાથે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ વર્ષ 2014માં તે કેકેઆરની ટીમ સાથે જોડાયો હતો. તેમણે પોતાના આઈપીએલ દરમિયાન કુલ 140 મેચ રમી છે અને શાનદાર પ્રદર્શન પણ કર્યું હતુ. આ દરમિયાન તેમણે 115 ઈનિગ્સમાં 2651 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 174.17 રહી હતી. બોલિંગમાં પણ તેમણે શાનદાર કામ કર્યું અને 121 ઈનિગ્સમાં 123 વિકેટ લીધી હતી. આઈપીએલની પોતાની છેલ્લી સીઝનમાં તેમણે 10 ઈનિગ્સમાં 167 રન બનાવ્યા હતા અને 8 વિકેટ પોતાને નામ કરી હતી.

રસેલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હું આઈપીએલમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. પરંતુ સ્વૈગર નહી. આઈપીએલની સફર શાનદાર રહી. 12 સીઝનની યાદ અને કેકેઆર પરિવાર તરફથી ખુબ જ પ્રેમ. તમે મને કેકેઆર સપોર્ટ સ્ટાફમાં 2026ના પાવર કોચના રુપમાં એક નવી ભૂમિકામાં જોવા મળશે. નવો અધ્યાય તેમજ ઉર્જા હંમેશા માટે એક નાઈટ

2 વખત ચેમ્પિયન

આંદ્ર રસેલે પોતાના કરિયર દરમિયાન 2 વખત ખિતાબ જીત્યો છે. તે વર્ષ 2014 અને 2024માં ખિતાબ જીતનારી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ રહેશે. તેમણે 2015 અને 2019માં 2 વખત આઈપીએલ એમવીપી એવોર્ડ જીત્યો પરંતુ હાલમાં તેનું પ્રદર્શ સારું જોવા મળ્યું ન હતુ. જેના કારણે ટીમે તેને રિટેન કર્યો ન હતો.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">