AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીકાકારો પર ભડક્યો KKR નો કેપ્ટન અજિંક્ય રહાણે, કહ્યુ લોકોને મારાથી જલન થાય છે એટલે એજન્ડા ચલાવે છે

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં બેટીંગમાં ફેલ રહ્યા. મેચ બાદ તેમણે ટીકાકારોને આડેહાથ લેતા તેમના પર વરસી પડ્યા હતા.

ટીકાકારો પર ભડક્યો KKR નો કેપ્ટન અજિંક્ય રહાણે, કહ્યુ લોકોને મારાથી જલન થાય છે એટલે એજન્ડા ચલાવે છે
| Updated on: Apr 03, 2026 | 5:51 PM
Share

IPL 2026 માં ગુરુવારે ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં KKR એ 65 રનથી હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રહાણેનુ બેટ આ મેચમાં ખાસ કંઈ ચાલ્યુ નહીં. તે 10 બોલમાં માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયા. ટીકાકારોએ રહાણેની સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા, જેનો જવાબ રહાણે એ મેચ બાદ આપ્યો.

સ્ટ્રાઈક રેટ પર શું બોલ્યો રહાણે?

KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, મારો સ્ટ્રાઈક રેટ 2023 થી અત્યાર સુધીનો સૌથી સારો છે. તેઓ જે કદાચ મેચ જોઈ નથી રહ્યા અથવા તો મારી વિરુદ્ધ કોઈ ખાસ એજન્ડા છે. તેમને મારુ રમવુ ગમતુ નથી. મને રમતો જોવો એમને પસંદ નથી. મને લાગે છે કે મને જેટલી સફળતા મળી છે તેનાથી તેઓ જલે છે.

KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યુ, “હું જરાય પરેશાન નથી. મારો ઈરાદો ન હતો, ક્યારેક એક બેટ્સમેન તરીકે તમને જોઈએ એવો ફ્લો નથી મળતો, જે લોકો વાતો કરી રહ્યા છે, તેઓ યા તો ગેમને સમજતા નથી યા તો તેઓ ઈચ્છે છે કે હું અલગ પ્રકારની ઈનિંગ રમુ. તેમને આશા ન હતી કે અજિંક્ય રહાણે તેની ગેમમાં આટલો સુધાર કરશે. મને ખુશી છે કે તેઓ મારા વિશે વાતો કરી રહ્યા છે. ભલે ચાહે એ સકારાત્મક હોય કે નકારાત્મક. તેમને વાતો કરવા દો. મને ખબર છે કે હું શું કરી રહ્યો છું અને મે પહેલા શું કર્યુ છે. હું બીજાના વાતો વિશે વિચારવાને બદલે ખુદ પર વિશ્વાસ રાખુ છુ. જે પણ મારી બેટીંગ વિશે વાતો કરી રહ્યા છે, તેમને કરવા દો.”

પાવરપ્લે માં માત્ર અભિષેક રહાણેથી વધુ સારુ રમે છે

IPL 2023 પછી ભારતીય બેટ્સમેનની પાવરપ્લેમાં માત્ર અભિષેક શર્મા (176.56)નો સ્ટ્રાઈક રેટ રહાણે (167.78)થી સારો છે. રહાણે માટે મુશ્કેલી એ છે કે પાવરપ્લે બાદ તેમનો સ્ટ્રાઈક રેટ સતત નીચે આવી રહ્યો છે અને આ જ કારણ છે કે તેમની ટીકા થાય છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે સીઝનની પહેલી મેચમાં 40 બોલમાં 67 રન બનાવનારા રહાણેનું બેટ SRH સામે ન ચાલ્યુ અને ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. 227 રનના ટાર્ગેટને ચેઝ કરતા KKR 16 ઓવરમાં 161 રન પર જ આઉટ થઈ ગઈ.

સોનાના ભાવમાં 17 વર્ષનો સૌથી મોટો ઘટાડો… શું આ ખરીદીની શ્રેષ્ઠ તક છે કે હજુ મોટી મંદી બાકી છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">