AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : અજિંક્ય રહાણે-અનુપમ ખેર માંડ-માંડ બચી ગયા, લેન્ડિંગ પછી તરત ફ્લાઈટમાં બની અજીબ ઘટના

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે સાથે અજીબ ઘટના બની. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.

Video : અજિંક્ય રહાણે-અનુપમ ખેર માંડ-માંડ બચી ગયા, લેન્ડિંગ પછી તરત ફ્લાઈટમાં બની અજીબ ઘટના
Anupam Kher & Ajinkya RahaneImage Credit source: X
| Updated on: Nov 18, 2025 | 10:43 PM
Share

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં માંડ માંડ બચી ગયા. બંને દિગ્ગજોએ ફ્લાઇટમાં એક ભયાનક ઘટનાનો અનુભવ કર્યો. અભિનેતા અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં ચાહકોને આ ઘટના વિશે જણાવ્યું. આ ખતરનાક ક્ષણ એટલી ભયાનક હતી કે અનુપમ ખેર પણ ગભરાઈ ગયા.

અનુપમ ખેર-રહાણે એક જ ફ્લાઈટમાં 

વાસ્તવમાં, અનુપમ ખેર અને અજિંક્ય રહાણે દિલ્હીથી મુંબઈ માટે એકસાથે ઉડાન ભરી હતી. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા પણ તેની પુત્રી સાથે ફ્લાટમાં મુસાફરી કરી રહી હતી. લેન્ડિંગ દરમિયાન ફ્લાટ અચાનક ફરી ઉડાન ભરી, જેનાથી બધા જ લોકો ડરી ગયા. જોકે, થોડા સમય પછી, ફ્લાટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ, અને બધાએ રાહતનો શ્વાસ લીધો. અનુપમ ખેરે સમગ્ર ઘટનાનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં રહાણે પણ તેની સાથે જોવા મળી રહ્યો છે.

અનુપમ ખેરે વીડિયો શેર કર્યો

વીડિયો શેર કરતા અનુપમ ખેરે લખ્યું, “પ્રિય અજિંક્ય રહાણે, દિલ્હીથી મુંબઈ સુધીની તમારી સાથેની સફર અદ્ભુત રહી. એક મહાન ખેલાડી તરીકે મેં હંમેશા તમારી પ્રશંસા કરી છે. પણ એક માણસ તરીકે તમારી નમ્રતા અને શિષ્ટાચારની પણ મને પ્રશંસા છે. માફ કરશો. અમારું વિમાન ઉતર્યું અને પછી અચાનક ફરી ઉડાન ભરી ત્યાં સુધી મારી ભાષા અને હું સારા અને સભ્ય હતા. તે ભયાનક ક્ષણે મને સજ્જન બનવાથી રોક્યો, અને મારા મોંમાંથી કેટલાક સરસ, શુદ્ધ હિન્દી શબ્દો નીકળી ગયા. પરંતુ સારી વાત એ છે કે હવે અમે બંને એકબીજાને એક કરતાં વધુ કારણોસર યાદ રાખીશું. પ્રેમ અને આશીર્વાદ હંમેશા. જય હિંદ.”

અજિંક્ય રહાણે રણજી ટ્રોફી રમી રહ્યો છે

અજિંક્ય રહાણે ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તે હાલમાં રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે. આ દરમિયાન તે ફક્ત એક જ મહત્વપૂર્ણ નિંગ રહી શક્યો છે. તેણે છત્તીસગઢ સામે શાનદાર 159 રનની નિંગ રમી હતી. તે સિવાય રહાણે એક પણ વાર 30 રન સુધી પણ પહોંચી શક્યો નથી.

આ પણ વાંચો: યુવરાજ સિંહ દર મહિને તેના પિતા યોગરાજ સિંહના ખાતામાં કેટલા પૈસા જમા કરાવે છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">