AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શું ઈઝરાયેલનો આગામી ટાર્ગેટ હવે પાકિસ્તાન હશે? ઈરાનમાં તણાવ વચ્ચે પાકિસ્તાનની વધી ચિંતા

ઇઝરાયલે અનેક વખત પાકિસ્તાનની વધતી લશ્કરી ક્ષમતાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને પાકિસ્તાન વિશ્વનું એકમાત્ર ઇસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ હથિયાર છે, અને ઇઝરાયલ લાંબા સમયથી વ્યૂહાત્મક ચિંતામાં છે.

Breaking News: શું ઈઝરાયેલનો આગામી ટાર્ગેટ હવે પાકિસ્તાન હશે? ઈરાનમાં તણાવ વચ્ચે પાકિસ્તાનની વધી ચિંતા
Image Credit source: google
| Updated on: Mar 15, 2026 | 5:06 PM
Share

દક્ષિણ એશિયાના સંશોધક અલ્તાફ પરવેઝે પોતાના એક લેખમાં જણાવ્યું હતું કે ઈરાન પછી ઈઝરાયેલ દ્વારા પાકિસ્તાન પર હુમલો થવાની સંભાવના લાગી શકે છે, પરંતુ તેને સંપૂર્ણ રીતે નકારી શકાતી નથી. સંયુક્ત રાષ્ટ્ર અને ઇસ્લામિક સહયોગ સંગઠન (Organization of Islamic Cooperation) જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોની નબળી સ્થિતિ તથા ભારત સરકાર અને ઈઝરાયેલ વચ્ચેની નજીકની ભાગીદારી પણ પાકિસ્તાન માટે ચિંતા વધારતી હોવાનું કહેવામાં આવે છે.

ઇસ્લામાબાદ: ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ પછી પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયેલ લેબનાન અને ગાઝામાં પણ સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલના આક્રમક વલણને કારણે પાકિસ્તાનમાં લાંબા સમયથી એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં તે દેશ પણ ઈઝરાયેલના નિશાને આવી શકે છે. પાકિસ્તાનના ઘણા રાજકીય નેતાઓ અને વિશેષજ્ઞોનું માનવું છે કે ઈઝરાયેલની નજર પાકિસ્તાન પર પણ છે. કેટલાક વિશ્લેષકો માને છે કે ઈરાન પછી પાકિસ્તાન પણ ઈઝરાયેલના નિશાને આવી શકે છે.

શું પાકિસ્તાન બની શકે ઈઝરાયેલનું નિશાન?

પાકિસ્તાનમાં નીતિનિર્માતાઓ અનેક વખત કહી ચૂક્યા છે કે તેમનો દેશ ઈઝરાયેલનું સંભવિત નિશાન બની શકે છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે 3 માર્ચે નિવેદન આપ્યું હતું કે જો ઈરાનમાં ઈઝરાયેલનો પ્રભાવ વધશે તો તેની અસર પાકિસ્તાન સુધી પહોંચશે. તેમના અનુસાર ઈરાન પછી ભારત અને અફઘાનિસ્તાનની મદદથી પાકિસ્તાનને નબળું બનાવવાની કોશિશ થઈ શકે છે.

આ નિવેદન પછી સવાલ ઉઠયા છે કે ઈઝરાયેલ પાકિસ્તાન માટે વાસ્તવમાં કેટલું મોટું જોખમ છે? દુનિયાના ઘણા દેશો પાસે પરમાણુ હથિયારો છે અને પાકિસ્તાન પાસે પણ આ ટેકનોલોજી છે. છતાં ઈઝરાયેલનું કહેવું છે કે કોઈ મુસ્લિમ બહુમતી દેશ પાસે પરમાણુ ટેકનોલોજી ન હોવી જોઈએ.

” ગ્રેટર ઈઝરાયેલ ” નું સપનું

ઈઝરાયેલ વારંવાર સંકેત આપતો રહ્યો છે કે તે ઇચ્છતો નથી કે કોઈ શક્તિશાળી મુસ્લિમ બહુમતી દેશ તેની નીતિઓનો વિરોધ કરે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે જો કોઈ મુસ્લિમ દેશ પરમાણુ હથિયારો વિકસાવે તો અન્ય ઇસ્લામિક દેશો પણ તે દિશામાં આગળ વધી શકે છે.

પાકિસ્તાન અને ઈઝરાયેલ વચ્ચે લગભગ 3,000 કિલોમીટરનું અંતર છે અને બંને દેશો પડોશી નથી. તેથી સીધો સૈન્ય અથડામણનો જોખમ હાલ ઓછો લાગે છે. જોકે પાકિસ્તાનની ઈરાન સાથે લાંબી સરહદ ધરાવે છે. જો ઈરાનમાં ઈઝરાયેલને અનુકૂળ સરકાર બને તો તેની સીધી અસર ઇસ્લામાબાદ પર પડી શકે છે.

સાઉદી અને તુર્કી સાથે પાકિસ્તાનના સંબંધ

ઈઝરાયેલને એવું પણ લાગે છે કે પાકિસ્તાનની સૈન્ય શક્તિ ભવિષ્યમાં પડકાર બની શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનના તુર્કી અને સાઉદી અરબ સાથે વધેલા સૈન્ય સહકારને પણ ઈઝરાયેલ માટે ચિંતા રૂપ માનવામાં આવે છે.

કેટલાક ઈઝરાયેલી વ્યૂહરચનાકારો માને છે કે ભવિષ્યમાં કોઈ “ઇસ્લામિક નાટો” જેવી સૈન્ય ગઠબંધન રચાઈ શકે છે, જે ઈઝરાયેલ પર દબાણ વધારી શકે છે. આવી પરિસ્થિતિઓ પાકિસ્તાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધારવાની શક્યતા ઉભી કરી શકે છે.

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video

Follow Us
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">