ગૌતમ ગંભીર બાદ હવે યુવરાજ સિંહ બનશે કોચ, ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે કર્યો યુવીનો સંપર્ક

ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળી લીધું છે, હવે તેનો સાથી ખેલાડી યુવરાજ સિંહ પણ આ ભૂમિકામાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે.

ગૌતમ ગંભીર બાદ હવે યુવરાજ સિંહ બનશે કોચ, ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે કર્યો યુવીનો સંપર્ક
Gautam Gambhir & Yuvraj Singh
Follow Us:
| Updated on: Jul 23, 2024 | 8:14 PM

ટીમ ઈન્ડિયાને 2 વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહ હવે IPLમાં વાપસી કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર વિક્રમ સોલંકી ટીમ છોડી શકે છે. IPL2025ની મેગા ઓક્શન પહેલા આ મોટો ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, હવે ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે યુવરાજ સિંહનો સંપર્ક કર્યો છે.

યુવરાજ પાસે IPLનો બહોળો અનુભવ

હાલમાં યુવરાજ સિંહ વિશ્વભરના નિવૃત્ત ખેલાડીઓની લીગમાં ભાગ લઈ રહ્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે. જો કે યુવરાજ સિંહ પાસે પણ IPLનો લાંબો અનુભવ છે. યુવીએ IPLની 132 મેચમાં 2750 રન બનાવ્યા છે. આ દરમિયાન યુવીના બેટમાંથી 13 અડધી સદી પણ આવી. યુવરાજ પંજાબ, હૈદરાબાદ, પૂણે વોરિયર્સ, RCB, મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, યુવરાજ જાણે છે કે તેણે કઈ માનસિકતા સાથે આ લીગમાં પ્રવેશ કરવો જોઈએ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

યુવીને કોચ તરીકે મોટી રકમ મળશે!

જો યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બને છે તો તેને મોટી રકમ મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો ગુજરાત ટાઈટન્સ દર સિઝનમાં આશિષ નેહરાને 3.5 કરોડ રૂપિયા ચૂકવતી હતી. યુવરાજ માટે આ રકમ વધી શકે છે.

રાહુલ દ્રવિડ પણ કોચ બનશે

એ જ રીતે યુવરાજ સિંહના સિનિયર ખેલાડી રાહુલ દ્રવિડ વિશે પણ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો નવો મુખ્ય કોચ બની શકે છે. તે કુમાર સંગાકારાની જગ્યા લઈ શકે છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ દ્રવિડના કોચિંગ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, ત્યારે તે IPLમાં વાપસી કરી શકે છે. દ્રવિડ અગાઉ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: એક વીડિયો જોઈ બદલાઈ કરિયર, પેરિસ ઓલિમ્પિકમાં જીતી શકે છે ‘ગોલ્ડ મેડલ’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">