AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપમાં પાંચ ખેલાડીઓએ પોતાનું સ્થાન કર્યું નક્કી, જાણો કોણ છે આ યુવા સ્ટાર

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પાંચ મેચની T20 શ્રેણીમાં યુવા ખેલાડીઓને તક આપી હતી અને આ યુવા ખેલાડીઓએ પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. તેમાંથી કેટલાકે આવતા વર્ષના T20 વર્લ્ડ કપ માટે પોતાનો દાવો ઘણો મજબૂત કર્યો છે.

T20 વર્લ્ડ કપમાં પાંચ ખેલાડીઓએ પોતાનું સ્થાન કર્યું નક્કી, જાણો કોણ છે આ યુવા સ્ટાર
Team India
Smit Chauhan
| Edited By: | Updated on: Jan 18, 2024 | 1:36 PM
Share

ODI વર્લ્ડ કપની હાર બાદ BCCI સિનિયર સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે યુવા ટીમ પસંદ કરી છે. આ ટીમની પસંદગી આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ શ્રેણીમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી જેથી કરીને ખેલાડીઓને T20 વર્લ્ડ કપ માટે શોર્ટલિસ્ટ કરી શકાય.

યુવા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને T20 શ્રેણીમાં હરાવ્યું

આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જેનાથી એ તો નિશ્ચિત છે કે સૂર્યકુમાર યાદવ 2024માં T20 વર્લ્ડ કપ રમશે જ, પરંતુ તેના સિવાય કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે જે આ શ્રેણી પછી T20 વર્લ્ડ કપ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

5 ખેલાડીઓએ વિશ્વકપ માટે દાવેદારી નોંધાવી

આ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડે ઘણા રન બનાવ્યા અને રિંકુ સિંહે પણ ઘણા પ્રભાવિત કર્યા. આ લોકોના બળ પર જ યુવા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને પાંચ મેચની T20 શ્રેણીમાં 4-1થી હરાવવામાં સફળ રહી હતી. કોણ છે આ 5 ખેલાડીઓ જેઓ વિશ્વકપ માટે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે?

રિંકુ સિંહ

રિંકુ સિંહે T20માં જે પ્રકારનું ફિનિશિંગ કૌશલ્ય બતાવ્યું છે તે ટીમ ઈન્ડિયાને લાંબા સમયથી જરૂરી હતું. IPL પછી, રિંકુને ઈન્ટરનેશનલ લેવલ પર જેટલી પણ તકો મળી, તેમાં તે પોતાની ફિનિશરની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવતો જોવા મળ્યો, પછી તે આયર્લેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા.

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલ આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને રહી હતી. તેણે પાંચ મેચમાં 138 રન બનાવ્યા હતા. આ પહેલા પણ તે શાનદાર રમત બતાવી ચૂક્યો છે. ડાબોડી બેટ્સમેન હોવું તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટીમ ઈન્ડિયા પાસે ડાબોડી ઓપનિંગ બેટ્સમેનનો અભાવ છે અને યશસ્વી શાનદાર ફોર્મમાં છે, તેથી આ બેટ્સમેન T20 વર્લ્ડ કપની રેસમાં પણ ઘણો આગળ છે.

રવિ બિશ્નોઈ

ભારતીય ટીમના લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ પાંચ મેચની T20 સીરિઝમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે પાંચ મેચમાં 18.22ની એવરેજથી નવ વિકેટ લીધી હતી. તેણે કુલ 120 બોલ ફેંક્યા અને 164 રન આપ્યા. બિશ્નોઈ લાંબા સમયથી T20માં પ્રભાવશાળી બોલિંગ કરી રહ્યો અને વિકેટ પણ લઈ રહ્યો છે એવામાં T20 વર્લ્ડ કપ માટે તેનો દાવો ઘણો મજબૂત છે.

ઋતુરાજ ગાયકવાડ

આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઋતુરાજ ગાયકવાડના નામે છે. આ જમણા હાથના બેટ્સમેને પાંચ મેચમાં 55.75ની એવરેજ અને 159.28ની સ્ટ્રાઈક રેટથી 223 રન બનાવ્યા હતા, જેમાં એક સદી સામેલ હતી. જો કે ટીમ ઈન્ડિયા પાસે ઘણા ઓપનર છે. રોહિત શર્માનું રમવાનું નિશ્ચિત છે અને શુભમન ગિલ પણ તેની સાથે છે. પરંતુ હજુ પણ ઋતુરાજ અને યશસ્વીની પસંદગી થઈ શકે છે. આ બંને મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે.

મુકેશ કુમાર

આ જમણા હાથના બોલરે ઓસ્ટ્રેલિયન શ્રેણીમાં પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. તેણે ચાર મેચમાં માત્ર ચાર વિકેટ લીધી હતી, પરંતુ જે પ્રકારની અસરકારક બોલિંગથી તેણે બેટ્સમેનો દબાણમાં રાખ્યા, તેનાથી મુકેશ T20 વર્લ્ડ કપની ટીમમાં જોવા મળે તો નવાઈ નહીં.

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની શ્રેણી માટે ટીમની કરી જાહેરાત, જાણો કોણ-કોણ છે સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">