AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ઓપરેશન સિંદૂર’ પછી શેરબજારનો મિજાજ બદલાયો, નિષ્ણાતે આપ્યા રોકાણકારોને ત્રણ ‘ગુરુમંત્ર’

ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં હાલમાં જ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભારત દ્વારા કરાયેલ આ એર સ્ટ્રાઈકથી સ્ટોક માર્કેટમાં પણ હોબાળો મચ્યો છે. હવે આવી સ્થિતિમાં રોકાણકારો પણ થોડા ચિંતામાં આવી ગયા છે.

'ઓપરેશન સિંદૂર' પછી શેરબજારનો મિજાજ બદલાયો, નિષ્ણાતે આપ્યા રોકાણકારોને ત્રણ 'ગુરુમંત્ર'
Follow Us:
| Updated on: May 07, 2025 | 4:16 PM

ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં હાલમાં જ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભારત દ્વારા કરાયેલ આ એર સ્ટ્રાઈકથી સ્ટોક માર્કેટમાં પણ હોબાળો મચ્યો છે. હવે આવી સ્થિતિમાં રોકાણકારો પણ થોડા ચિંતામાં આવી ગયા છે. એવામાં સ્ટોક માર્કેટ એક્સપર્ટ સુનિલ સુબ્રમણ્યમે રોકાણકારોને ત્રણ ગુરુમંત્ર પર ધ્યાન આપવાનું કહ્યું છે. જાણો શું કહ્યું, સ્ટોક માર્કેટ એક્સપર્ટ સુનિલ સુબ્રમણ્યમે.

ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ના પરિણામે ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બજાર નિષ્ણાત સુનિલ સુબ્રમણ્યમે રોકાણકારોને સમજદારીપૂર્વક પગલાં લેવા કહ્યું છે. સુનિલ સુબ્રમણ્યમે જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિને જોતાં રોકાણકારોએ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ત્રણ ગુરુમંત્ર

સુનિલ સુબ્રમણ્યમે કહ્યું કે, ઇન્વેસ્ટરે ટ્રેડિંગની દૃષ્ટિએ ચુપ રહેવું જોઈએ. બીજું કે, જો એક્સપોઝર છે તો એનો અર્થ એ થયો કે તમે રોકાણ કર્યું છે. જેમાં તમારે હાલ પૂરતું કંઈ કરવાની જરૂર નથી. સુનિલ સુબ્રમણ્યમે ત્રીજા પગલે કહ્યું કે, જેમની પાસે રોકડ છે તેમણે એક ટકા જેટલું રોકાણ કરવું જોઈએ. કેમકે, બજાર નીચું જાય ત્યારે રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ, જે રોકાણકારો માટે રોકાણ કરવાનો યોગ્ય સમય છે.

તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો? તો આ ભૂલો ક્યારેય ના કરો
Vastu Tips: સવારે મોરનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે?
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન

તેમણે વધમાં કહ્યું કે, જેઓએ પહેલાથી જ રોકાણ કરેલું છે તેમને અત્યારના સમયમાં કંઈ કરવાની જરૂર નથી. રોકાણકારોને સલાહ છે કે, આવી સ્થિતિમાં ગભરાવું નહીં અને પરિસ્થિતિને સ્થિર થવા દેવી જોઈએ. જો તમારી પાસે રોકડ હોય તો તમે સ્ટોક માર્કેટમાં ધીમે ધીમે રોકાણ કરો.

માર્કેટ નીચું જાય તો તેને અવસર સમજો

આ સિવાય જો માર્કેટ નીચું જાય છે ચિંતા ન કરો તેને એક અવસર સમજો અને રોકાણ કરો. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કહી શકાય કે, માર્કેટમાં વોલેટાલિટી ચાલુ રહી શકે છે. એવામાં આપણે રોકાણની રણનીતિ પર અળગ રહેવું જોઈએ.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">