Dhanteras 2021: ધનતેરસના દિવસે રાશિ અનુસાર કરો ખરીદી, જાણો આપના માટે શું ખરીદવું રહેશે લાભકારી

ધનતેરસના દિવસે સોના અથવા ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરવી એ પણ દેવી લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરવાના સંકેત તરીકે શુભ માનવામાં આવે છે. પરંતુ ધનતેરસના દિવસે જો તમે રાશિ પ્રમાણે ખરીદી કરશો તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.

Dhanteras 2021: ધનતેરસના દિવસે રાશિ અનુસાર કરો ખરીદી, જાણો આપના માટે શું ખરીદવું રહેશે લાભકારી
Dhanteras 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:17 PM

Dhanteras 2021: આ વર્ષે ધનતેરસ 2 નવેમ્બર મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીના બે દિવસ પહેલા ભગવાન ધન્વંતરિનો જન્મ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.

એવું કહેવાય છે કે જ્યારે ભગવાન ધનવંતરીનો અવતાર થયો ત્યારે તેમના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. ધનતેરસને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી માન્યતા અનુસાર આ દિવસે દેવી લક્ષ્મી ધનના દેવતા ભગવાન કુબેર સાથે સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા.

ધનતેરસના દિવસે સોના અથવા ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરવી એ પણ દેવી લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરવાના સંકેત તરીકે શુભ માનવામાં આવે છે. પરંતુ ધનતેરસના દિવસે જો તમે રાશિ પ્રમાણે ખરીદી કરશો તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. આવો જાણીએ રાશિ પ્રમાણે લોકોએ શું ખરીદવું જોઈએ.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મેષ રાશિના લોકોએ ધનતેરસ પર ચાંદીના વાસણો ખરીદવા જોઈએ. આ તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ચાંદી ખરીદવાથી ભગવાન કુબેર પ્રસન્ન થાય છે અને તેમની સંપત્તિમાં અપાર વૃદ્ધિ થવાની સંભાવના છે.

વૃષભ રાશિના લોકો માટે ધનતેરસ પર ચાંદીની વસ્તુઓ અથવા ઘરેણાં ખરીદવું ખૂબ જ શુભ હોય છે. વૃષભનો શાસક ગ્રહ શુક્ર છે, જે સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, વૃષભ રાશિના જાતકોએ પોતાની સંપત્તિ વધારવા માટે ચાંદીની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ રહેશે.

મિથુન રાશિના જાતકોએ સોનાના આભૂષણો ખરીદવા જોઈએ અને લીલા રંગની ઘરગથ્થુ વસ્તુઓની ખરીદી તેમના માટે ફળદાયી રહેશે. એવું માનવામાં આવે છે કે ઘરેણાં ખરીદવાથી ઘરમાં સંપત્તિ જળવાઈ રહે છે. આમ કરવાથી ભગવાન ધન્વંતરિની કૃપા તમારા પર વરસશે.

કર્ક રાશિના લોકો ધનતેરસના દિવસે ચાંદીનું શ્રી યંત્ર ધારણ કરી શકે છે. જો તમે શ્રી યંત્ર લીધા પછી બીજી કોઈ વસ્તુ ખરીદશો તો પણ તે શુભ રહેશે અને તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય, દેવી મહાલક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

સિંહ રાશિના લોકો માટે સોનું ખરીદવું ખૂબ જ સારું માનવામાં આવે છે. ધનતેરસ પર સોનાના સિક્કા, સોનાના ઘરેણા અને સોનાના વાસણો જેવી સોનાની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ રહેશે. તેની સાથે તમે વાસણો અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તકો ખરીદી શકો છો. આ વર્ષે દેવી મહાલક્ષ્મીજીની અતૂટ કૃપા તમારા પર વરસશે.

કન્યા રાશિના જાતકોએ કાંસા અથવા હાથીદાંતની બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ. આ વસ્તુઓ ખરીદવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પૈસાનું રોકાણ કોઈ શુભ સ્થાનમાં કરવાથી તમને ફાયદો થશે.

તુલા રાશિના લોકોએ સુંદરતા સાથે જોડાયેલી વસ્તુઓ ખરીદવી જોઈએ. તમે અત્તર, સોના અને ચાંદીના ઘરેણાં ખરીદી શકો છો. ચાંદીના આભૂષણો અથવા ચાંદીના સિક્કા અવશ્ય ખરીદો, તેનાથી તમને સુખ-સમૃદ્ધિ મળશે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

વૃશ્ચિક રાશિના લોકોએ ધનતેરસ પર સોનાના આભૂષણો અને સિક્કા અથવા તાંબાના વાસણો ખરીદવા જોઈએ. તમે આ દિવસે પિત્તળની ખરીદી પણ કરી શકો છો કારણ કે જો વૃશ્ચિક રાશિના લોકો ધનતેરસના શુભ દિવસે પિત્તળની વસ્તુઓ ખરીદે છે, તો તેમની સંપત્તિમાં અપાર વૃદ્ધિ થવાની સંભાવના છે.

ધન રાશિના લોકો ધનતેરસના દિવસે વાહન અને ચાંદીના વાસણો ખરીદે છે. ધન રાશિના લોકો માટે ચાંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ચાંદીના ઘરેણાં, વાસણો, ચાંદીના સિક્કા અને વાહન ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે.

મકર રાશિના લોકો માટે ધનતેરસનો અર્થ ઘણો થાય છે. ધનતેરસના આ તહેવાર પર વાહન અને શણગારની ખરીદી કરવી તમારા માટે શુભ રહેશે. તમે ચાંદી અને સ્ટીલના વાસણો પણ ખરીદી શકો છો. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે વાહન ખરીદી રહ્યા હોય તો એક દિવસ પહેલા તેની ચૂકવણી કરો કારણ કે ધનતેરસના દિવસે મોટી ચુકવણી કરવી શુભ માનવામાં આવતી નથી.

શનિ કુંભ રાશિનો સ્વામી છે. આવ સ્થિતિમાં ચાંદી અને સ્ટીલના વાસણો ખરીદવા તમારા માટે શુભ અને અત્યંત ફળદાયી રહેશે. આ સાથે, તમે આ દિવસે બેંકોમાં પૈસા જમા કરાવી શકો છો, તેનાથી ધનના દેવતા ભગવાન કુબેરની કૃપા વરસશે.

મીન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. મીન રાશિના લોકો ધનતેરસના દિવસે ચાંદીના વાસણો અથવા ઘરેણાં ખરીદે છે. મીન રાશિના લોકો માટે ચાંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે તમે ચાંદીના આભૂષણો અથવા ચાંદીના સિક્કા ખરીદવાથી શુભ ફળ પ્રાપ્ત કરશો અને કુબેરની કૃપા તમારા પર બની રહેશે.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: IPL 2022: અમદાવાદની ટીમ નો કોણ હોઇ શકે છે નવો કેપ્ટન, રવિન્દ્ર જાડેજા થી લઇ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સુધી દોડી રહી છે નજર!

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં રાજય સરકારે કર્ફ્યૂના નિયમોમાં મોટી રાહત આપી, જાણો નવા નિયમો

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">