Margaret Alva Profile: રાજીવ ગાંધીની સરકાર દરમિયાન મહિલાઓ માટે 33 ટકા અનામતની દરખાસ્ત કરી રજૂ, જે કાયદો બની

માર્ગારેટ આલ્વાએ (Margaret Alva )એ પંચાયતી રાજ (સ્થાનિક સરકાર)ની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત હોવી જોઈએ તેવી તેમણે 1989ની દરખાસ્ત મૂકી હતી. જે 1993માં કાયદો બની હતી.

Margaret Alva Profile: રાજીવ ગાંધીની સરકાર દરમિયાન મહિલાઓ માટે 33 ટકા અનામતની દરખાસ્ત  કરી રજૂ, જે કાયદો બની
Margaret Alva Gujarat Governor Full Profile In Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 8:12 AM

માર્ગારેટ આલ્વા (Margaret Alva )ગુજરાતના રાજ્યપાલ (Governor)પદે રહી ચૂકયા હતા. તે સિવાય તેઓએ ગોવા, રાજસ્થાન અને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે પણ સેવારત રહી ચૂક્યા હતા. માર્ગેરેટ આલ્વાની રાજકીય કારર્કિર્દી ઘણી લાંબી રહી છે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વરિષ્ઠ નેતા તરીકે જવાબદારી સંભાળતા હતા. તો તેમના પરિવારમાંથી તેમના સાસુ પણ 1960ના દાયકામાં રાજયસભામાં સ્પીકર રહી ચૂક્યા હતા. ખાસ તો માર્ગારેટ આલ્વાએ  પંચાયતી રાજ (સ્થાનિક સરકાર)ની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત હોવી જોઈએ તેવી તેમણે 1989ની દરખાસ્ત મૂકી હતી. જે 1993માં કાયદો બની હતી. તે માટે તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે.  તેમણે 8જૂલાઇ  2014માં  ગુજરાતના  રાજ્યપાલ તરીકે જવાબદારી સંભાળી હતી. તે સમયે તેમને રાજસ્થાનના ગર્વનર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવામાં એક મહિનાની વાર હતી

અંગત જીવન (Personal Life)

માર્ગારેટ આલ્વા née Margaret Nazarethv નો જન્મ જન્મ 14 એપ્રિલ 1942ના રોજ કર્ણાટકના મેંગ્લોર ખાતે રોમન કેથોલિક પરિવારમાં થયો હતો. તેમણે 24 મે 1964ના રોજ નિરંજન થોમસ આલ્વા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીના એક પુત્રી અને ત્રણ પુત્રો છે.

શિક્ષણ (Education)

તેમણે બેંગ્લોરમાંથી BA અને તે જ શહેરની સરકારી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓએ તેમના કોલેજ સમય દરમિયાન વિવિધ ડિબેટમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રાજકીય કારર્કિર્દી(Political Career)

માર્ગારેટ આલ્વાએ વકીલ તેમના કામને ઘણું વિસ્તાર્યું હતુ. સા થે જ તેમણે યંગ વુમન્સ ક્રિશ્ચિયન એસોસિએશનની પ્રમુખ બન્યા હતા.આ સંસ્થા બાળકો મહિલાઓ માટે કામ કરતી હતી. તેમણે રાજકારણમાં પ્રવેશવા માટે તેમને પતિ સહિત સાસુ સસરાએ ઘણું પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. તેમણે સાસુ વાયોલેટ આલ્વાના નિધન બાદ 1969માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. અને ઇન્દિરા ગાંધીના માર્ગદર્શન હેઠળ કર્ણાટક માટે કામ કર્યું. 1975 અને 1977 વચ્ચે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંયુક્ત સચિવ તરીકે અને 1978 અને 1980 દરમિયાન કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે સેવા આપી હતી.

એપ્રિલ 1974માં, અલ્વા કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. આ સમય દરમિયાન, તેમણે સંસદીય બાબતો (1984-85) અને યુવા અને રમતગમત અને મહિલા અને બાળ વિકાસ માટેના મંત્રાલયોમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી, થોડા સમય માટે તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી પણ રહ્યા હતા.

તો 1985 – 1989 વચ્ચે,માર્ગારેટ આલ્વાએ રાજીવ ગાંધીની આગેવાની હેઠળની સરકારમાં મહિલાઓ માટે વિવિધ વિકાસ નિગમો માટે દરખાસ્તો કરી હતી, પંચાયતી રાજ (સ્થાનિક સરકાર)ની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત હોવી જોઈએ તેવી તેમણે 1989ની દરખાસ્ત મૂકી હતી જે 1993માં કાયદો બની હતી

6 ઓગસ્ટ 2009ના રોજ માર્ગારેટ અલ્વા ઉત્તરાખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. તેઓ મે 2012 સુધી આ પદ પર રહ્યા હતા. ત્યાર બાદ તેઓ રાજસ્થાનના ગર્વનર બન્યા હતા. ત્યાર બાદ ગોવા અને ગુજરાતના ગવર્નર તરીકે પણ સફળ કાર્યાભાર સભાળ્યો હતો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">