રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપી ફરી બની શકે છે કોંગ્રેસ માટે કિંગ મેકર, NCP વ્હિપને ફગાવે તેવી શક્યતાથી રાજકારણ ગરમાયું

રાજ્યસભાની ચૂંટણીમાં NCPએ ભલે વ્હિપ આપ્યો પણ કાંધલ જાડેજા કોંગ્રેસને મત આપે તેમ લાગતું નથી, જેથી ખેલ હવે BTPના હાથમાં હોવાનો ઘાટ ઘડાયો છે. NCPના પ્રદેશ અધ્યક્ષે કૂતિયાણાના ધારાસભ્યને રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા વ્હિપ ભલે આપ્યો છે.. પણ ભૂતકાળને જોતા કાંધલ જાડેજા ૧૯ જૂને શક્તિસિંહ કે ભરતસિંહને મત આપે તેવી શક્યતા નહિવત્ છે. […]

રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપી ફરી બની શકે છે કોંગ્રેસ માટે કિંગ મેકર, NCP વ્હિપને ફગાવે તેવી શક્યતાથી રાજકારણ ગરમાયું
http://tv9gujarati.in/rajysabha-ni-chu…i-shake-che-whip
Follow Us:
| Updated on: Jun 17, 2020 | 10:33 AM

રાજ્યસભાની ચૂંટણીમાં NCPએ ભલે વ્હિપ આપ્યો પણ કાંધલ જાડેજા કોંગ્રેસને મત આપે તેમ લાગતું નથી, જેથી ખેલ હવે BTPના હાથમાં હોવાનો ઘાટ ઘડાયો છે. NCPના પ્રદેશ અધ્યક્ષે કૂતિયાણાના ધારાસભ્યને રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા વ્હિપ ભલે આપ્યો છે.. પણ ભૂતકાળને જોતા કાંધલ જાડેજા ૧૯ જૂને શક્તિસિંહ કે ભરતસિંહને મત આપે તેવી શક્યતા નહિવત્ છે. ઓગસ્ટ 2017માં પણ NCPએ કોંગ્રેસના અહેમદ પટેલને મત આપવા વ્હિપ જારી કર્યો હતો. પરંતુ, કાંધલ જાડેજાએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. એ વખતે જયંત બોસ્કી અને કાંધલ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને પાછળથી NCPમાં બંનેને નોટિસ આપવા જેવું નાટક પણ થયું હતું. ભાજપ-કોંગ્રેસ બંને તરફ એક એક મતનો હિસાબ થઈ રહ્યો છે ત્યારે બધો જ ખેલ BTPના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાના હાથમાં છે.. જો BTPના બંને ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવારને મત આપે તો પણ શક્તિસિંહ કે ભરતસિંહ બંનેમાંથી એકની હાર નિશ્ચિત છે. પણ આ આદિવાસી ધારાસભ્યોના બે મત કોંગ્રેસને મળે અને ભાજપના બે મત રદ થાય તો ભાજપના ત્રણ પૈકી એક ઉમેદવારની હાર થાય.. ઓગસ્ટ 2017માં, જુલાઈ- 2019માં ભાજપના ધારાસભ્યોએ એવી ભૂલો કરી છે જેથી તેમના મત રદ થયા હોય.. જોકે આવી ભૂલનું પુનરાવર્તન થવાની શક્યતા નહીંવત છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Latest News Updates

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">