AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nangal rape case : પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ રાહુલ ગાંધી સામે ફરિયાદ

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે,રાહુલ ગાંધીએ ભારતીય દંડ સંહિતા (IPC)ના બાળ ન્યાય અધિનિયમ 228Aની કલમ 23 હેઠળ જાતીય ગુનાઓમાં બાળકોનું રક્ષણ અધિનિયમ અંતર્ગત કલમ 74 નો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

Nangal rape case : પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ રાહુલ ગાંધી સામે ફરિયાદ
Rahul Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 3:34 PM
Share

દિલ્હીના વકીલ વિનીત જિંદાલે દિલ્હીમાં બળાત્કાર અને હત્યા કરાયેલી 9 વર્ષની બાળકીના માતા-પિતા સાથે તેનો ફોટો શેર કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ ભારતીય દંડ સંહિતા (IPC)ના બાળ ન્યાય અધિનિયમ 228Aની કલમ 23 હેઠળ જાતીય ગુનાઓમાં બાળકોનું રક્ષણ અધિનિયમ અંતર્ગત કલમ 74 નો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

આપને જણાવવું રહ્યું કે,આ અગાઉ મંગળવારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (National Commission for child Rights) દ્વારા ટ્વિટરને નોટિસ ફટકારીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ સામે જાતીય અપરાધોથી બાળકોના સંરક્ષણ (POCSO) અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ દિલ્હીની નંગલમાં મુલાકાત લઈને, બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર થાય તે રીતે પોસ્ટ શેર કરી હતી.

NCPCRના મુખ્ય અધિકારી પ્રિયંક કાનોંગોએ (Priyank Canonga) ટ્વિટર પર જણાવ્યું હતું કે, બાળ અધિકાર સંસ્થાએ અહેવાલોની જાણ કર્યા બાદ અમે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા પર પિડીતાના માતાપિતાનો ફોટો પોસ્ટ કરીને સગીર બળાત્કાર પીડિતાની ઓળખને જાહેર કરી હતી.આપને જણાવવું રહ્યું કે, રાહુલ ગાંધીએ (Rahul gandhi) પિડીતાના માતા પિતાને મળ્યા હતા અને પરિવારને પોતાનો સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી હતી.તેમણે પોતાની મીટિંગ વિશે ટ્વિટ કરીને પીડિતાના માતા -પિતા સાથેની તેની તસવીર ટ્વિટર પર શેર કરી હતી.

પોલીસે સગીરની માતાના નિવેદનના આધારે ચાર આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે.પિડીતાની માતાએ જેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી પર રવિવારે તેમની સંમતિ વિના બળાત્કાર, હત્યા અને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

આરોપી વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 376 અને 506, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ અને SC/ST અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ

આ પણ વાંચો: Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">