મમતા બેનર્જીએ કહ્યું, “કલકત્તા સહીત ચાર શહેરો બને રાષ્ટ્રીય રાજધાની”

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? દિલ્હીમાં બધા બહારના લોકો છે. સંસદસત્ર દેશના બધા ભાગોમાં વારાફરતી થાય, કલકત્તામાં પણ સંસદસત્ર યોજાય.

મમતા બેનર્જીએ કહ્યું, કલકત્તા સહીત ચાર શહેરો બને રાષ્ટ્રીય રાજધાની
ફાઈલ ફોટો: મુખ્યપ્રધાન મમતા બેનર્જી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 1:24 PM

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનાં નેતૃત્વમાં કલકત્તામાં શ્યામા બજારથી મેયો રોડમાં ગાંધી પ્રતિમા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રા સાયરનના અવાજ અને શંખધ્વનીથી શરૂ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ આ દિવસને દેશનાયક દિવસના રૂપે ઉજવે છે. આ દિવસે કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવાવનો નિર્ણય કરતા મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત દેશમાં ચાર અલગ અલગ જગ્યાએ રાજધાની બનાવવાનો વાત કરી હતી.

માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું જે રાષ્ટ્રીય રાજધાની  માત્ર DELHIમાં જ સીમાબદ્ધ કેમ? આ સાથે જ એમણે કહ્યું કે દેશમાં દિલ્હીના બદલે કલકત્તા સહીત ચાર શહેરોમાં રાષ્ટ્રીય રાજધાની બને. મમતા બેનર્જીએ કહ્યું કલકત્તા પણ દેશની રાજધાની બને, આ સાથે જ દક્ષીણ ભારતના કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરલ કે અન્ય રાજ્યમાં એક રાજધાની બને. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણામાં, પૂર્વમાં બિહાર, ઓડીશા, બંગાળમાં રાજધાની બને અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં એક રાજધાની બને. માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? દિલ્હીમાં બધા બહારના લોકો છે. સંસદસત્ર દેશના બધા ભાગોમાં વારાફરતી થાય, કલકત્તામાં પણ સંસદસત્ર યોજાય.

પરાક્રમ દિવસ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ જાહેર કરવા અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે પરાક્રમ દિવસ જાહેર કરવા અંગે કોઈ સાથે વાતચીત કરવામાં આવી નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશપ્રેમના પ્રતિક છે. રવીન્દ્રનાથ ટાગોરે સુભાષચંદ્ર બોઝને દેશનાયકની ઉપાધી આપી હતી. નેતાજીએ આઝાદ હિન્દ ફોજનું નિર્માણ કર્યું હતું અને પ્લાનિંગ કમીશનના ગઠનની વાત કરી હતી, પરંતુ વર્તમાન સરકારે પ્લાનિંગ કમીશનને વિખેરી નાખ્યું અને એના સ્થાને નીતિ આયોગનું ગઠન કર્યું. મમતાએ કહ્યું તેઓ નીતિ આયોગનો વિરોધ નથી કરી રહ્યાં પણ પ્લાનિંગ કમીશનને ફરી બહાલ કરવું જોઈએ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બંગાળનો ઇતિહાસ બદલવાના પ્રયત્નો થઇ રહ્યા છે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિરોધીઓ પર આરોપ લગાવ્યા કે બંગાળનો ઇતિહાસ બદલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એમણે કહ્યું સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળનું મોટું યોગદાન છે. બંગભંગ આંદોલનની શરૂઆત બંગાળથી જ કરવામાં આવી હતી. ભારતીય પુનર્જાગરણની શરૂઆત પણ બંગાળથી જ થઇ હતી. બંગાલે ક્યારેય કોઈની સામે માથું નમાવ્યું નથી અને નમાવશે નહિ. વન નેશન, વન પાર્ટી અને વન નોટની વાત કરવામાં આવી રહી છે. ઈતિહાસની ખોટી વ્યાખ્યા કરવામાં આવી રહી છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">