VIDEO: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ યથાવત્
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણમાં કોઈ નિર્ણય આવ્યો નથી. માહિતી પ્રમાણે જો આ મામલે બંને પક્ષમાંથી કોઈ એક નમતું મૂકશે નહીં તો, શિવસેના મહાયુતિમાંથી અલગ થઈ જશે. આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની […]
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણમાં કોઈ નિર્ણય આવ્યો નથી. માહિતી પ્રમાણે જો આ મામલે બંને પક્ષમાંથી કોઈ એક નમતું મૂકશે નહીં તો, શિવસેના મહાયુતિમાંથી અલગ થઈ જશે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત
તો બીજી તરફ સેના ભવન પર ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં પાર્ટીના નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શિવસેનાના નેતા ગુલાબરાવ પાટિલે કહ્યું કે, મુખ્યપ્રધાન શિવસૈનિક હોવો જરૂરી છે. અમે આ મામલે ઉદ્ધવ ઠાકરેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.
શિવસેનાએ ત્યાં સુધી પણ સ્પષ્ટતા કરી છે કે, ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની તૈયારીઓમાં છે. પત્રકાર પરિષદમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તેમની લડત ચાલુ રહેશે. અને તેમના તમામ ધારાસભ્ય હોટલમાં નિવાસ કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે ગુરુવારે મોડી રાત્રે મુંબઈના રંગ શારદા હોટલ પહોંચ્યા હતા. જ્યાં શિવસેનાના ધારાસભ્યો રોકાણ કર્યું છે. ધારાસભ્યો તૂટી શકે તેવા ડરના કારણે 6 તારીખથી જ શિવસેનાએ પોતાના MLAને મુંબઈની રંગ શારદા હોટલમાં સુરક્ષિત રાખ્યા છે. અને 10 તારીખ સુધી અહીં જ રહેશે. મહત્વનું છે કે, 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાલ પૂરો થવાનો છે. ત્યાં સુધીમાં નવી સરકારનું ગઠન થવું જરૂરી હોય છે. જો એક વિધાનસભાનો કાર્યકાલ પૂરો થયા બાદ પણ નવી સરકાર રચવામાં આવતી નથી તો, રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.