Local Body Polls 2021 : કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ પક્ષ પલટા વિરોધી કાયદાનો અમલ કરવાની કરી માંગ

Local Body Polls 2021 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election 2021) અગાઉ પક્ષ પલટા વિરોધી કાયદાનો અમલ કરવાની માગ કોંગ્રેસી (Congress) નેતા અર્જૂન મોઢવાડિયા (Arjun Modhvadia )એ કરી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 31, 2021 | 6:20 PM

Local Body Polls 2021 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી  (Local Body Election 2021) અગાઉ પક્ષ પલટા વિરોધી કાયદાનો અમલ કરવાની માગ કોંગ્રેસી (Congress) નેતા અર્જૂન મોઢવાડિયા (Arjun Modhvadia )એ કરી છે. સાથે જ જો કોઇ રાજકીય પક્ષનો ઉમેદવાર પક્ષ પલટો કરે તો તેનું સભ્ય પદ રદ કરીને તેની સામે દંડાત્મક કાર્યવાહીની કરવાની પણ માગ તેઓએ કરી છે. મહત્વપૂર્ણ છે કે નાણા અને સત્તાની લાલચમાં કરવામાં આવતા પક્ષ પલટાને રોકવા માટે પક્ષ પલટા વિરોધી કાયદો બનાવાયો છે. જોકે તેનો યોગ્ય અમલ ન થતો હોવાનો આરોપ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયા (Arjun Modhvadiya) એ સત્તાધારી પક્ષ પર લગાવ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ કાયદાનો અમલ કરીને પક્ષ પલટો કરનાર પાસેથી ચૂંટણીનો ખર્ચ વસૂલ કરવો જોઇએ. તથા નૈતિકતા વિરૂદ્ધનું કૃત્ય હોવા અંગે સોગંદનામામાં બાંહેધરી લેવાની પણ માગ અર્જૂન મોઢવાડિયાએ કરી હતી, જુઓ વિડીયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">