કર્ણાટક વિધાનસભાની 15 બેઠક પર પેટાચૂંટણીના શરૂઆતી પરિણામમાં કોંગ્રેસે હાર સ્વીકારી
કર્ણાટક વિધાનસભાની 15 બેઠક પર પેટાચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામથી કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ નેતા શિવકુમારે કહ્યું કે, જનતાએ દળબદલ કરનારાઓને સ્વીકાર્યા છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં મોટો ફટકો લાગ્યો છે. શરૂઆતના પરિણામથી લાગી રહ્યું છે કે, 12માંથી 9 બેઠક કોંગ્રેસ ગુમાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા […]
કર્ણાટક વિધાનસભાની 15 બેઠક પર પેટાચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામથી કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ નેતા શિવકુમારે કહ્યું કે, જનતાએ દળબદલ કરનારાઓને સ્વીકાર્યા છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં મોટો ફટકો લાગ્યો છે. શરૂઆતના પરિણામથી લાગી રહ્યું છે કે, 12માંથી 9 બેઠક કોંગ્રેસ ગુમાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કુચમાં ઘર્ષણ, કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત
યેદીયુરપ્પાની ભાજપા સરકાર માટે આ પેટાચૂંટણીના પરિણામમાં જીત મેળવવી જરૂરી હતું. કારણ કે, 15 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ભાજપને સત્તામાં રહેવા 7 બેઠક પર જીત મેળવવી જરૂરી હતું. વિધાનસભામાં બહુમત સાબિત કરવા કોઈપણ પાર્ટી પાસે 223 ધારસભ્યો હોવા જરૂરી છે. જુલાઈ મહિનામાં કોંગ્રેસ અને જેડીએસના 17 ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધુ હતું. જેના કારણે એચ.ડી કુમારસ્વામીની કોંગ્રેસ સાથે ગઠબંધનવાળી સરકાર પડી ગઈ હતી. જે બાદ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તા પર આવી હતી.
રાજીનામું આપનારા ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય ઠેરવીને ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં તમામ ધારાસભ્યોને પેટાચૂંટણી લડવા માટે મંજૂરી આપી દીધી હતી. જો કે, 17 ધારાસભ્યોના રાજીનામાના કારણે 17 બેઠક પર પેટા ચૂંટણી થવાની હતી. પરંતુ 2 ધારાસભ્યોનો મામલો હજુ કોર્ટમાં અટવાયેલો હોવાથી 15 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો