ગાંધી પરિવારના નેતૃત્વમાં તૂટી કોંગ્રેસ, 4 વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી પાર્ટી

ADRના એક રિપોર્ટ મુજબ 2016 થી 2020 દરમિયાન 170 જેટલા ધારાસભ્યોએ Congress પાર્ટી છોડી છે.

ગાંધી પરિવારના નેતૃત્વમાં તૂટી કોંગ્રેસ, 4 વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી પાર્ટી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 11, 2021 | 6:58 PM

Congress પાર્ટી પરના ADRના એક રિપોર્ટે ગાંધી પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, ચૌધરી બિરેન્દ્ર સિંહ, રીટા બહુગુણા જોશી આ મોટા નામો છે જેમણે કોંગ્રેસ છોડી દીધી છે. પણ કોંગ્રેસ નેતાઓ દ્વારા કોંગ્રેસ છોડવાની યાદી  બહુ લાંબી છે અને આ અંગેના એક રિપોર્ટથી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલ ગાંધી પરિવાર ચિંતામાં ડૂબ્યું છે. 

4  વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ  અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક રિપોર્ટ મુજબ 2016 થી 2020 દરમિયાન 170 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. ADRના રિપોર્ટ મુજબ, વર્ષ 2016 થી 2020 વચ્ચે ફરીથી ચૂંટણી લડનારા 405 ધારાસભ્યોમાંથી, 182 ધારાસભ્યો ભાજપમાં, 38 કોંગ્રેસમાં અને 25 તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)માં જોડાયા હતા. આ ચાર વર્ષ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૌથી મોટી સંખ્યામાં એટલે જે 170 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. જયારે સામે ભાજપના માત્ર 18 ધારાસભ્યોએ પાર્ટી છોડી.

ધારાસભ્યોના તૂટવાથી કોંગ્રેસની સરકાર તૂટી ADRના રિપોર્ટ મુજબ વર્ષ 2016 થી 2020 વચ્ચે કોંગ્રેસના170 ધારાસભ્યોએ પાર્ટી છોડી જેના કારણે ગોવા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને  મણિપુરમાં કોંગ્રેસની  સરકાર પડી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ  પાર્ટી છોડી ADRના રિપોર્ટ મુજબ વર્ષ 2016 થી 2020 વચ્ચે કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી, તો ભાજપના 5 લોકસભા સાંસદોએ પાર્ટી છોડી.  2016 થી 2020 દરમિયાન કુલ 16 રાજ્યસભા સાંસદોમાંથી 10 સાંસદોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. 

કોંગ્રેસ માટે હવે G-23 બન્યું માથાનો દુખાવો જ્યોતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, ચૌધરી બિરેન્દ્ર સિંહ, રીટા બહુગુણા જોશી જેવા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી અને હાલમાં કેરળમાં ચૂંટણી પહેલા જ પીસી ચાકોએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. એક બાજુ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો કોંગ્રેસમાં પણ આંતરિક ઘમાસાણ શરૂ છે. નારાજ નેતાઓનું જૂથ  G-23 સતત પાર્ટીની નીતિઓ પર સવાલ ઉભા કરી રહ્યું છે અને હાઈકમાન પર નિશાન સાધી રહ્યું છે. એડીઆરનો રિપોર્ટ અને આ બધી બાબતો સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ માટે ચિંતાજનક છે.

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">