AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: CM વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ” દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર “

CM રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે,લોકો ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને કહેતા હતા કે જો તેઓ સરકાર નોકરીઓ આપી શકતા નથી, તો નારા લગાવવાનું બંધ કરે.

Gujarat: CM વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું  દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર
vijay rupani (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 8:52 AM
Share

Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) શુક્રવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં શાસન સંભાળ્યું તે પહેલા દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર હતી. રૂપાણીનાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે નવ દિવસના કાર્યક્રમ અંતર્ગત આયોજિત રોજગાર દિવસને (Employment Day) સંબોધવા સુરત પહોંચ્યા હતા. ત્યારે સુરતમાં એક સભાને સંબોધતા રૂપાણીએ જણાવ્યું હતું કે, 1995 માં ભાજપ સત્તામાં આવી તે પહેલા ગુજરાતમાં અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સરકારી ભરતી પર પ્રતિબંધ હતા.

વધુમાં રૂપાણીએ દાવો કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં બે લાખથી વધુ લોકોને સરકારી નોકરી (Government Job)મળી છે અને મુખ્યપ્રધાને દેશમાં વધતી બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર ગણાવી હતી.

PM મોદીએ ગરીબી દૂર કરવા માટે નક્કર પગલાં લીધા

સીએમ રૂપાણીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, લોકો ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને (Javaharlal Nehru) કહેતા કે જો તેઓ સરકારી નોકરી આપી શકતા નથી, તો પછી નારા લગાવવાનું બંધ કરે. ઉપરાંત જણાવ્યું કે, સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબી દૂર કરવા અને રોજગારી પૂરી પાડવા માટે નક્કર પગલાં લીધા અને કૌશલ્ય વિકાસની (Development) પણ શરૂઆત કરી, જેથી લોકોને રોજગારી મળી શકે.

17 લાખ લોકોને ખાનગી નોકરી આપવામાં આવી : વિજય રૂપાણી

રૂપાણીએ સંબોધન દરમિયાન કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસના (Congress) શાસન દરમિયાન સરકારી ભરતી પર પ્રતિબંધ હતો અને મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મોદી સરકારે પ્રતિબંધ હટાવી લીધો. ઉપરાંત જણાવ્યું કે,અમારા નેતૃત્વમાં રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં બે લાખથી વધુ લોકોને સરકારી નોકરીઓ આપી છે. આ સિવાય છેલ્લા 5 વર્ષમાં આયોજિત 2,085 જોબ ફેર દ્વારા 17 લાખ લોકોને ખાનગી નોકરીઓમાં ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat માં પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપવાનો સરકારનો દાવો,  કોંગ્રેસે કહ્યું દાવા પોકળ

આ પણ વાંચો: ગુજરાત સરકાર શનિવારે ઉજવશે વિકાસ દિવસ, અમિત શાહ 1400 કરોડથી વધુના વિકાસ કામો અને વતન પ્રેમ યોજનાનું કરશે લોન્ચિંગ

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">