Gujarati NewsPoliticsFormer kolkata police commissioner rajiv kumar arrest by cbi mamta banerjee kolkata west bengal
શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી
કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના 8 જેટલા અધિકારીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જો કે રાજીવ કુમાર તેમના ઘરે હાજર નથી. જે બાદ CBIના અધિકારીઓએ સ્થાનીક પોલીસને આ અંગે જાણકારી આપી છે. આવતીકાલ એટલે 27મેના રોજ […]
કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના 8 જેટલા અધિકારીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જો કે રાજીવ કુમાર તેમના ઘરે હાજર નથી. જે બાદ CBIના અધિકારીઓએ સ્થાનીક પોલીસને આ અંગે જાણકારી આપી છે. આવતીકાલ એટલે 27મેના રોજ રાજીવ કુમારની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
CBIનું કહેવું છે કે, તે રાજીવ કુમારની કસ્ટડીમાં પૂછપરછ કરવા માગે છે. જેનો મતલબ એવો છે કે જો રાજીવ કુમાર CBI સામે પૂછપરછ દેવા હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જો કે લોકસભા ચૂંટણી દરમિયાન રાજીવ કુમારની બદલી દિલ્હી કરી દેવાઈ હતી. જે બાદ આચાર સંહિતાની સમાપ્તી સાથે ફરી એક વખત તેમને કલક્તામાં હાજર થવાનું કહેવાયું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સૂત્રો મુજબ રાજીવ કુમાર આગોતરા જામીન માટે પશ્ચિમ બંગાળની સ્થાનીક કોર્ટમાં અરજી કરી શકે છે. જો કોર્ટે આગોતરા જામીન મંજૂર કરે છે તો પછી CBI તેમની ધરપકડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા માત્ર 24 મે સુધી ધરપકડથી સંરક્ષણ મળ્યું હતું. આ બાદ એરપોર્ટ પર પણ નજર રાખવામાં આવે છે. રાજીવ કુમાર વિરુદ્ધ આરોપ છે કે શારદા ચીટફંડ અને રોઝવેલી સ્કીમની તપાસ દરમિયાન પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.