ભાજપે ક્યારેય રામ મંદિર મુદ્દે રાજનીતિ કરી નથી: સાક્ષી મહારાજ
ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. સાક્ષી મહારાજનું કહેવું હતું કે, ભાજપ ક્યારેય મંદિરના મુદ્દે રાજનીતિ કરતી નથી. ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ […]
ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. સાક્ષી મહારાજનું કહેવું હતું કે, ભાજપ ક્યારેય મંદિરના મુદ્દે રાજનીતિ કરતી નથી.
ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. સાક્ષી મહારાજનું કહેવું હતું કે, ભાજપ ક્યારેય મંદિરના મુદ્દે રાજનીતિ કરતી નથી. પરંતુ કોંગ્રેસે મંદિર નિર્માણમાં અવરોધ ઉભા ન કર્યા હોત તો નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું હોત. વધુમાં તેમનું કહેવુ હતુ કે યૂપીમાં ભાજપ 74 સીટો અને કુલ 400 થી વધુ સીટો પર જીત મેળવશે. ઉપરાંત સાક્ષી મહારાજે કહ્યું કે સપા-બસપાનું ગઠબંધન નહી ઠગબંધન છે.
ભગવાન રામના પક્ષમાં આવશે નિર્ણય
સાક્ષી મહારાજે પોતાની ઉમેદવારી નોંધાવવાની સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. જેમા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પણ આક્ષેપ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી શીર્ષાસન કરી રહ્યાં છે, પ્રિયંકા ગાંધી પણ શીર્ષાસન કરે કે કોઈ દેવતા ઉતરી આવે પરંતુ યૂપીમાં કોંગ્રેસનુ ખાતુ નહી ખુલે. સ્મૃતિ ઈરાનીથી ડરીને રાહુલ ગાંધી કેરળ ભાગી ગયા. સાક્ષી મહારજે કહ્યું કે, આર્ટિકલન 35 A અને 370 પર નિર્ણય લેવાની તાકાત માત્ર ભાજપમાં છે. બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં લોક હિતની વાત છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]