કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બચાવવા વરિષ્ઠ નેતાઓ મેદાનમાં, આ 2 નેતાઓને અપાઈ જવાબદારી

લોકસભાની ચૂંટણી બાદ પોતાના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચાવવા માટે કોગ્રેસના નેતાઓના ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. કર્ણાટકમાં પણ જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે અણબનાવની ખબરના લીધે કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતાઓને કર્ણાટકમાં મોકલવામાં આવી રહ્યાં છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલાં જનાદેશ જ્યાં જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલાં મધ્યપ્રદેશમાં […]

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બચાવવા વરિષ્ઠ નેતાઓ મેદાનમાં, આ 2 નેતાઓને અપાઈ જવાબદારી
Follow Us:
| Updated on: May 28, 2019 | 4:38 PM

લોકસભાની ચૂંટણી બાદ પોતાના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચાવવા માટે કોગ્રેસના નેતાઓના ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. કર્ણાટકમાં પણ જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે અણબનાવની ખબરના લીધે કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતાઓને કર્ણાટકમાં મોકલવામાં આવી રહ્યાં છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલાં જનાદેશ જ્યાં જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલાં મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પડી જાય તેવી જાય ખબર આવી હતી જેને લઈને કમલનાથે જાહેરાત કરવી પડી કે મારી સરકાર પોતાના કાર્યકાળ પુરો કરશે. એક તરફ રાહુલ ગાંધીના રાજીનામાને લઈને વિવાદ થમતો નથી ત્યાં કર્ણાટકમાં કોંગ્રેસની જેડીએસ સાથે ગઠબંધનની સરકાર પડી જાય તેવી ખબરથી કોંગ્રેસના સિનિયર નેતાઓ દોડતા થઈ ગયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો:  અમદાવાદમાં 75 વર્ષની દિવ્યાંગ મહિલા સાથે બળાત્કાર બાદ મારપીટ, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સંયુક્ત સરકાર ચાલી રહી છે અને તેમાં કોઈ વિવાદ થવાની ખબરો મળતા જ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને રાજ્યના પ્રભારી કેસી વેણુગોપાલને બેગલુરુ મોકલવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ફરીથી ચૂંટણી કરાવવાની માગણી કરી છે. આ નિવેદનના લીધે પણ હોબાળો મચી જવા પામ્યો છે અને કર્ણાટકની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

આ વિવિઘ વિવાદોને થાળે પાડવા માટે અને કોઈપણ રીતે પોતાની સરકારને બચાવી લેવા માટે સિનિયર નેતાઓને દોડાવવામાં આવી રહ્યાં છે. હાલ કોંગ્રેસ પાર્ટીની હાલત એક સાંધે અને તેર તૂટે એવી થઈ ગયી છે. જેથી કોંગ્રેસ પાર્ટી અને જેડીએસના ગઠબંધનની સરકાર ચાલે તે માટે અને ભાજપના તેમાં કોઈ રાજનીતિ ન રમી શકે તે માટે કોંગ્રેસના નેતાઓને મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">