ગૃહ પ્રધાન બન્યા પછી અમિત શાહ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આ સ્થાન પર પોતાનો કાર્યકાળ પસાર કરશે
PM મોદીની નવી સરકારમાં ગૃહપ્રધાન બનેલા અમિત શાહ હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયીના ઘરમાં સ્થાન મેળવશે. ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હી ખાતે 6એ કૃષ્ણ મેનન માર્ગ પર બંગલાની વહેચણી કરાઈ છે. આ બંગલામાં અટલ બિહારી વાજપેયીને આપવામાં આવ્યો હતો. જે બાદ હવે અમિત શાહ રહેશે. અટલ બિહારી વાજપેયી પહેલા આ બંગલો DMKના સાંસદ મુરાસલીની પાસે […]
PM મોદીની નવી સરકારમાં ગૃહપ્રધાન બનેલા અમિત શાહ હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયીના ઘરમાં સ્થાન મેળવશે. ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હી ખાતે 6એ કૃષ્ણ મેનન માર્ગ પર બંગલાની વહેચણી કરાઈ છે. આ બંગલામાં અટલ બિહારી વાજપેયીને આપવામાં આવ્યો હતો. જે બાદ હવે અમિત શાહ રહેશે. અટલ બિહારી વાજપેયી પહેલા આ બંગલો DMKના સાંસદ મુરાસલીની પાસે હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સોશિયલ મીડિયાના માધ્યમથી બજેટ માટે લોકો પાસે કરી આ અપીલ
તો અમિત શાહ અગાઉ અકબર રોડ પરના બંગલા નંબર 11માં વસવાટ કરતા હતા. જે તેમને પાર્ટીના અધ્યક્ષના રૂપમાં આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના પદથી પોતાના અંતિમ શ્વાસ સુધી અટલજીએ આ ઘરમાં જ વસવાટ કર્યો હતો.
સરકારમાં ગૃહ પ્રધાન તરીકે શાહનો આ છઠ્ઠો દિવસ છે. બુધવારે ઈદની રજા હોવા છતાં તેઓ પોતાના વિભાગમાં પહોંચ્યા હતા. અને ખાસ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અત્યાર સુધી કાશ્મીરના મુદ્દે અમિત શાહે 3 વખત બેઠક કરી ચૂક્યા છે. તો પહેલા દિવસે જ 22 વિભાગની તેમણે પ્રેજેન્ટેશન લીધું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]