નાગરિકતા સંશોધન બિલ: અમેરિકી આયોગે ગૃહપ્રધાન અમિત શાહ પર પ્રતિબંધની કરી માગ, ભારત સરકારે આપ્યો આ જવાબ
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ અમેરિકાની એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે (USCIRF) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમની પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ મુદ્દે હવે ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપતાં કહ્યું કે આ સંસ્થાનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે, તેનાથી તે આંચકો અનુભવતા નથી. તેમ છતાં તે […]
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ અમેરિકાની એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે (USCIRF) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમની પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ મુદ્દે હવે ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપતાં કહ્યું કે આ સંસ્થાનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે, તેનાથી તે આંચકો અનુભવતા નથી. તેમ છતાં તે USCIRFના નિવેદનની નિંદા કરે છે.
USCIRF is deeply troubled by the passage of the Citizenship (Amendment) Bill (CAB) in the Lok Sabha. The CAB enshrines a pathway to citizenship for immigrants that specifically excludes Muslims, setting a legal criterion for citizenship based on religion.https://t.co/E8DafI6HBH
— USCIRF (@USCIRF) December 9, 2019
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે USCIRF તરફથી જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી તેમને આશ્ચર્ય નથી થતું કારણ કે તેમનો રેકોર્ડ આવો જ છે. જો કે તે પણ નિંદનીય છે કે, જમીનની જાણકારી ન હોવા છતાં પણ સંગઠને આ પ્રકારનું નિવેદન આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે USCIRF દ્વારા જે નિવેદન આપ્યું છે કે તે સાચુ નથી અને ના તેની જરૂરિયાત હતી. આ બિલ તે ધાર્મિક અલ્પ સંખ્યકોને ભારતની નાગરિકતા આપે છે, જે પહેલેથી જ ભારતમાં આવેલા છે. ભારતે આ નિર્ણય માનવાધિકારને જોઈને લેવામાં આવ્યો છે. આ પ્રકારના નિર્ણયનો વિરોધ કરવાની જગ્યાએ તેનું સ્વાગત કરવું જોઈએ.
We regret the inaccurate and unwarranted comments made by USCIRF on #CAB. They have chosen to be guided by their prejudices and biases on a matter on which they have little knowledge and no locus standi.
Read our full statement below ⬇️ pic.twitter.com/BLajy03MtZ
— Raveesh Kumar (@MEAIndia) December 10, 2019
રવીશ કુમારે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ કોઈ પણ રીતે ભારતમાં રહેલા લોકોને પ્રભાવિત કરતું નથી. સંસ્થાએ તેમના નિવેદનમાં જે સલાહ આપી છે, તે કોઈ પણ રીતે સાચી નથી. દરેક દેશને તેમની પોલિસી હેઠળ કાયદા બનાવવાનો અધિકાર છે. જેમાં અમેરિકા પણ સામેલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયા પછી અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા કેન્દ્રીય આયોગે (USCIRF)બંને ગૃહમાં બિલ પાસ થવા પર ગૃહપ્રધાન અમિત શાહની વિરૂદ્ધ અમેરિકાથી પ્રતિબંધ લગાવવાની પણ માગ કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]