
સેંગોલને તે સમયે તમિલનાડુના પ્રસિદ્ધ સ્વર્ણકાર વુમ્મિડી એથિરાજુલુ અને વુમ્મિડી સુધાકરે 10 શિલ્પકારોના ગ્રુપ સાથે મળીને બનાવ્યું હતું. તેને ચાંદીથી તૈયાર કરવામાં આવ્યું હતું. તેના ઉપર સોનાની પરત ચઢાવવામાં આવી હતી. તેને બનવવામાં 10થી 15 દિવસ લાગ્યા હતા.

શ્રી લા શ્રી તંબીરન સેંગોલને લઈને તમિલનાડુથી દિલ્હી સુધી ગયા હતા. તેમણે પહેલા સેંગોલ માઉંટબેટનને સોંપ્યું હતું. અને પછી ફરી પાછું લઈને પવિત્ર જળમાં શુદ્ધ કર્યું હતું. ત્યાર બાદ જવાહર લાલ નહેરુના આવાસ પર જઈને સેરેમનીમાં સેંગોલ નહેરુજીને સૌંપવામાં આવ્યું હતું.
Published On - 7:08 pm, Wed, 24 May 23