નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે તેઓ કુલ 17 જેટલા પ્રોજેક્ટનું લોકોર્પણ કરશે. તો 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે તેઓ કુલ 17 જેટલા પ્રોજેક્ટનું લોકોર્પણ કરશે. તો 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 31મી ઓક્ટોબરને શનિવારના રોજ રાષ્ટ્રને સંબોધન પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરીને, આજે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ આપવા ગાંધીનગર પણ આવશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના કાર્યક્રમોમાં ફેરફાર કરીને કેશુબાપાને આપશે શ્રધ્ધાંજલિ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો