AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનને દાણા અને પાણી માટે તરસાવી દઈશું… આતંકવાદ પર રાજનાથ સિંહની આખરી ચેતવણી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કરતા કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે તો સિંધુ નદીનું પાણી રોકીને તેને દાણા-દાણા માટે તરસાવી દઈશું.

પાકિસ્તાનને દાણા અને પાણી માટે તરસાવી દઈશું... આતંકવાદ પર રાજનાથ સિંહની આખરી ચેતવણી
| Updated on: Jun 15, 2026 | 5:21 PM
Share

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી કડક અને મોટી ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં 16મી સદીના મહાન શાસક મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચેલા રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના સ્વાભિમાન અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ભાજપ સરકાર ન્યાય અને માનવતાના સિદ્ધાંતો પર ચાલે છે, કોઈ જાતિ કે ધર્મના રાજકારણ પર નહીં.

આતંકવાદના ખાતમા માટે સેના સરહદ પાર કરવા તૈયાર

પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં અવારનવાર આતંકવાદી ઘટનાઓ થતી હતી, પરંતુ ત્યારે કડક કાર્યવાહીનો અભાવ હતો. તાજેતરમાં થયેલી આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે જ્યારે આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોના જીવ લીધા, ત્યારે સરકારે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે.

રાજનાથ સિંહે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે મેં ત્રણેય સેનાના વડાઓની બેઠક બોલાવી હતી. જ્યારે મેં તેમને પૂછ્યું કે શું તેઓ ઓપરેશન માટે તૈયાર છે, ત્યારે આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓએ હાથ ઉંચા કરીને કહ્યું કે સર, અમે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન માટે અત્યારે જ સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે પોતાના સૈનિકોને ખુલ્લી છૂટ આપી દીધી છે અને જરૂર પડ્યે આતંકના ખાતમા માટે સરહદ પાર કરતા પણ સેના પાછળ નહીં હટે.

સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને ઘેર્યું

પોતાના ભાષણ દરમિયાન સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને લઈને અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાની હરકતો ભારત હવે સહન નહીં કરે. વડાપ્રધાન મોદી સાથે થયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાનો હવાલો આપતા તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવે, તો અમે હવે સિંધુ નદી જળ કરારને સ્થગિત કરી દીધો છે. આપણા દેશનું પાણી હવે ત્યાં નહીં જાય. અમે પાકિસ્તાનને દાણા-દાણા અને પાણીના એક-એક ટીપા માટે તરસાવી દઈશું.

રાજનાથ સિંહના આ આકરા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હવે આતંકવાદ વિરુદ્ધ રાજદ્વારી અને સૈન્ય બંને મોરચે આરપારની લડાઈના મૂડમાં છે.

જુઓ Video

બાળકની કોલેજ ફી માટે આજથી તૈયારી કરો, નહીં તો 15 વર્ષ બાદ ખર્ચ જોઈને લાગી શકે છે ઝટકો

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">